સુપ્રીમ કોર્ટે મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા નજીક તરતા જેટી પ્રોજેક્ટમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે ફ્લોટિંગ જેટી પ્રોજેક્ટ સામે દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે હાઇકોર્ટ આ કેસની સુનાવણી કરી રહી છે. અમે અરજી પર વિચાર કરવા તૈયાર નથી. જાકે, અમે હાઇકોર્ટને ૨૦૨૫ ના ચોમાસાના અંત પહેલા આ અંગે નિર્ણય લેવા વિનંતી કરીએ છીએ. ઝ્રત્નૈં ભૂષણ રામકૃષ્ણ ગવઈએ કહ્યું કે, અમે હાલની અરજી પર વિચાર કરવા તૈયાર નથી. દરેક વ્યક્તિને ગટર શુદ્ધિકરણ પ્લાન્ટ જાઈએ છે, પણ ‘મારા ઘરની પાછળ’ નહીં. શહેરમાં કંઈક સારું થઈ રહ્યું છે. દરિયાકાંઠાના રસ્તાઓના ફાયદા જુઓ. પહેલા, દક્ષિણ મુંબઈ જતી વ્યક્તિને ૩ કલાક લાગતા હતા. હવે તેમાં ૪૦ મિનિટ લાગે છે.
અરજદારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ કોઈપણ પૂર્વ જાહેર સૂચના, પરામર્શ અથવા સ્થાનિક હિસ્સેદારો સાથે જાડાણ વિના શરૂ કરવામાં આવ્યો હતો. વકીલે કોર્ટની એ ટિપ્પણીનો પણ વિરોધ કર્યો કે અરજદારોએ પ્રોજેક્ટ વિશે અગાઉથી જાણતા હોવા છતાં છેલ્લી ઘડીએ કોર્ટનો સંપર્ક કર્યો.
હકીકતમાં, બોમ્બે હાઈકોર્ટે મુંબઈના પ્રતિષ્ઠિત ગેટવે ઓફ ઈન્ડિયા નજીક બાંધવામાં આવી રહેલા વિવાદાસ્પદ પેસેન્જર જેટી અને ટર્મિનલ પ્રોજેક્ટના બાંધકામને રોકવાનો ઇનકાર કર્યો હતો. પ્રતિષ્ઠિત ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે વિવાદાસ્પદ જેટી અને ટર્મિનલ પ્રોજેક્ટના બાંધકામ પર રોક લગાવવાના બોમ્બે હાઈકોર્ટના ઇનકારને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ અરજી કફ પરેડ રેસિડેન્ટ્સ એસોસિએશનના પ્રમુખ લૌરા ડિસોઝા દ્વારા દાખલ કરવામાં આવી છે.
તેણે ૭ અને ૮ મેના બોમ્બે હાઈકોર્ટના આદેશોને પડકાર્યા છે, જેણે ચાલુ બાંધકામને રોકવા માટે વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. અરજદારોના મતે, આ પ્રોજેક્ટ કોલાબા વિસ્તારના ૨.૧ લાખથી વધુ રહેવાસીઓને અસર કરશે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે હાઇકોર્ટે વ્યાપક જાહેર હિત અને બાંધકામથી થનારા ભરપાઈ ન થઈ શકે તેવા નુકસાનને ધ્યાનમાં લેવામાં નિષ્ફળ ગયા છે.