ગુજરાત જાડો સદસ્યતા અભિયાન માટે ગુજરાત આવેલા આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતના મંચ પરથી મોટી જાહેરાત કરી છે. તેમણે બિહારમાં આપ પાર્ટી ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી છે.
અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપે ૩૦ વર્ષમાં ગુજરાતને બરબાદ કરી નાખ્યું. વિસાવાદરની જીત આઈસોલેટેડ જીત નથી. ૨૦૨૭ માટે વિસાવદરની ચૂંટણી સેમીફાઈનલ છે. સુરતમાં પૂરથી લોકો પરેશાન છે. ભાજપના ભ્રષ્ટાચારના કારણે શહેરોમાં પૂર આવે છે. ગુજરાતમાં રસ્તાઓના હાલ બેહાલ છે. ખેડૂતો ગુજરાતમાં પરેશાન છે. ગુજરાતમાં સરકારી ભરતીઓ નથી થઈ રહી. ગુજરાતના લોકો ભાજપને હરાવવા માગે છે. આવામાં ગુજરાતના લોકો માટે છછઁ વિકલ્પ છે. ગુજરાતના લોકોને કોંગ્રેસ પર વિશ્વાસ નથી. આ વખતે લોકોએ છછઁની સરકાર બનાવવા મન બનાવી લીધું છે. આજથી અમે ગુજરાત જાડો અભિયાનની શરૂઆત કરી. તેમણે વધુમાં કહ્યું કે, વિસાવદરની જીતે એ જનતાએ અમારામાં વિશ્વાસ કર્યો છે. વિસાવદરની જીત કોઈ સામાન્ય જીત નહિ, પરંતુ ૨૦૨૭ની સેમિફાઇનલ છે. સુરતની પરિસ્થિતિ ભાજપનાના ભ્રષ્ટાચારનું ઉદાહરણ છે. ભાજપ કોંગ્રેસને સારી રીતે જીત અપાવે છે. અમારી પાર્ટી બધાથી અલગ છે. અમે ગુજરાત જાડો અભ્યાન શરૂ કર્યુઁ છે.
આમ આદમી પાર્ટી સાથે જાડાવવા કેજરીવાલે ગુજરાતની જનતાને અપીલ કરી છે. તેમણે કહ્યું કે, ૨ વર્ષ યુવાઓ આપને આપો. કોંગ્રેસ સાથે અમારું કોઈ ગઠબંધન નથી. વિસાવદરમાં કોંગ્રેસ ભાજપ સાથે મળી અમને હરાવવા આવી હતી. ઇન્ડિયા બ્લોક સાથે ગઠબંધન લોકસભા ચૂંટણી પૂરતું હતું.