કોડીનાર શહેરમાં આજે વિજયભાઇ ખંધેડિયાની રૂ. ૬૫,૦૦૦ ભરેલી થેલી રસ્તા પર પડી ગઇ હતી. આ થેલી તુલસીભાઈ મનવાણીને પોતાની દુકાન પાસે મળી હતી. આ થેલીની તપાસ કરતાં તે વિજયભાઇની હોવાનું માલુમ પડ્યું હતું. આથી તેમને રમેશભાઈ બજાજ, ધર્મેશભાઈ મનવાણી તેમજ હરિૐ સેવા ટ્રસ્ટના જે.કે. મેરની હાજરીમાં તુલસીભાઈએ પરત કરી હતી. તમામ વેપારી ભાઈઓએ તુલસીભાઈની માનવતાને બિરદાવી હતી.