શ્રી કે.કે. હાઇસ્કૂલ અને કે.કે. ઘેલાણી હાયર સેકન્ડરી સ્કૂલ, સાવરકુંડલાના એનએસએસ યુનિટે તેમની નિયમિત પ્રવૃત્તિના ભાગરૂપે “મિતિયાળા અભ્યારણ્ય” ખાતે એક દિવસીય પ્રકૃતિ શિબિરનું આયોજન કર્યું હતું. આ શિબિર આરએફઓ પી.એન. ચાંદુના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. આ દરમિયાન અભરામપરા અને કૃષ્ણગઢ ગામોમાં સિંહ સંરક્ષણ અંગે સેમિનાર અને પેમ્પ્લેટ વિતરણ કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને અભ્યારણ્યની વનસ્પતિ, પક્ષીઓ, પ્રાણીઓ અને અન્ય જીવો વિશે માહિતી આપવામાં આવી.