ઉના તાલુકાના કાળાપણ ગામમાં સ્વામિત્વ યોજના હેઠળના પ્રોપર્ટી સર્વેમાં ગંભીર ક્ષતિઓ સામે આવતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. ગામના મહિલા સરપંચ મનીષાબેન મજીઠીયાએ જિલ્લા ડ્ઢૈંન્ઇ કચેરીમાં લેખિત ફરિયાદ કરી છે. સરપંચના મતે, સર્વેમાં ગ્રામ પંચાયત કમિટી કે આગેવાનોની મંજૂરી લેવાઈ નથી. પ્રોપર્ટી કાર્ડના નમૂના-૨માં નામ, એરિયા અને ક્ષેત્રફળમાં મોટી ભૂલો જોવા મળી છે; કેટલીક મિલકતો તો અન્યના નામે ચડી ગઈ છે. ૬ મે સુધીમાં વાંધા રજૂ કરવાની નોટિસ અપાઈ હોવા છતાં, ગ્રામજનોએ ક્ષતિગ્રસ્ત પ્રોપર્ટી કાર્ડ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. જ્યાં સુધી યોગ્ય સર્વે અને ભૂલોનું નિરાકરણ નહીં થાય ત્યાં સુધી દસ્તાવેજો સ્વીકારવાનો ગામલોકોનો સ્પષ્ટ ઇનકાર છે.