વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે રાજ્યભરમાં આયોજિત “ઓપરેશન શિલ્ડ” અંતર્ગત રાત્રિના ૮ઃ૦૦થી ૮ઃ૩૦ કલાક સુધી સાવરકુંડલા શહેર સ્વયંભૂ અંધારપટમાં રહ્યું હતું. આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય સંભવિત કટોકટીની પરિસ્થિતિઓમાં જનતાની ડિફેન્સ તૈયારી અને સહયોગનું મૂલ્યાંકન કરવાનો હતો. સાવરકુંડલા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી અપીલને માન આપીને, નાગરિકોએ સ્વયંભૂ રીતે લાઇટ બંધ રાખીને અને બિનજરૂરી હેરફેર ટાળીને કટોકટીના સમય દરમિયાન પોતાની સમજણ અને દેશભક્તિનું ઉદાહરણ પુરુ પાડ્યું હતું. સાવરકુંડલા વહીવટી તંત્ર આ મહત્વપૂર્ણ સુરક્ષા કવાયતમાં સક્રિયપણે ભાગ લેવા બદલ દ્વારા નાગરિકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરાયો છે.