રાજકોટ ખાતે નોંધાયેલા ગુના અંતર્ગત પરવાના વગર હથિયાર રાખવાના કેસમાં આરોપી ઉદયભાઈ ખુમાણને કોર્ટ દ્વારા નિર્દોષ છૂટકારો અપાયો છે. પોલીસે તપાસ બાદ આરોપી વિરુદ્ધ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી, જેમાં ફરિયાદી, પંચો, સરકારી સાક્ષીઓ અને તપાસ અધિકારીઓની સઘન પૂછપરછ બાદ પુરાવાઓના અભાવે કોર્ટએ આરોપીનો છૂટકારો કર્યો હતો. પ્રતિનિધિત્વ એડવોકેટ જે.આર. વાળાએ કર્યું હતું.