ઈરાની લશ્કરી કમાન્ડર સૈયદ માજિદ મુસાવીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં ઈરાનની શક્તિનું પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. મુસાવીએ એકસ પર એક પોસ્ટમાં લખ્યું, “આ ક્ષણથી, હું કબજા હેઠળના પ્રદેશોના આકાશ પર ઈરાની મિસાઈલ પ્રભુત્વની ઘોષણા કરું છું. આગામી હુમલાઓમાં ઉપયોગમાં લેવાતી નવી યુક્તિઓ અને લોન્ચ સિસ્ટમ્સ યુએસ-ઝાયોનિસ્ટ કમાન્ડરોને આશ્ચર્યચકિત કરશે. આજે રાત્રે, કબજા હેઠળના પ્રદેશોના દક્ષિણ ભાગ પરનું આકાશ ઘણા કલાકો સુધી પ્રકાશિત રહેશે.” શનિવારે શરૂઆતમાં, ઈરાને ડિએગો ગાર્સિયા તરફ ૪,૦૦૦ કિલોમીટરની રેન્જવાળી બેલિસ્ટિક મિસાઈલો છોડી, જેનાથી ઈઝરાયલ અને અમેરિકા બંને એક બીજાથી દૂર થઈ ગયા.
ઈરાને ઈઝરાયલના મુખ્ય પરમાણુ સંશોધન કેન્દ્ર નજીકના બે વિસ્તારોમાં હુમલો કર્યો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા. આ હુમલો દક્ષિણ ઈઝરાયલી શહેર અરાદ નજીક થયો, જે મુખ્ય પરમાણુ સંશોધન કેન્દ્રની નજીક સ્થિત છે. ઈઝરાયલી બચાવ સેવાઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને લોકોને હોસ્પિટલોમાં ખસેડવાનું શરૂ કર્યું. હુમલામાં ઘણી ઇમારતોને પણ ભારે નુકસાન થયું. બચાવ કાર્યકરો કહે છે કે ઈઝરાયલી શહેર અરાદમાં મિસાઈલ હુમલામાં લગભગ ૭૦ લોકો ઘાયલ થયા છે અને ઓછામાં ઓછા ૧૦ એપાર્ટમેન્ટ બિલ્ડીંગોને નુકસાન થયું છે. અરાદના મેયર કહે છે કે મિસાઈલ હુમલા બાદ ૧૫૦ પરિવારોને ખાલી કરાવવામાં આવ્યા છે. ઈરાને ઇઝરાયલના ડિમોના ખાતે પણ બેલિસ્ટિક મિસાઈલો છોડી હતી, જે શિમોન પેરેસ નેગેવ ન્યુક્લિયર રિસર્ચ સેન્ટરનું સ્થળ છે. આ હુમલામાં એક ઈમારત ધરાશાયી થઈ હતી, જેમાં ૧૦ વર્ષનો બાળક અને ૪૦ વર્ષની મહિલા સહિત ઓછામાં ઓછા ૨૦ લોકો ઘાયલ થયા હતા.
ઇઝરાયલ સંરક્ષણ દળોએ ઠ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, “ઓપરેશન રોરિંગ લાયન શરૂ થયા પછી પહેલી વાર ઈરાની આતંકવાદી શાસને આશરે ૪,૦૦૦ કિલોમીટરની રેન્જવાળી લાંબા અંતરની મિસાઈલ લોન્ચ કરી હતી. જૂન ૨૦૨૫ માં ઓપરેશન રોરિંગ લાયન દરમિયાન, આઇડીએફએ જાહેર કર્યું હતું કે ઈરાની શાસનનો ઈરાદો ૪,૦૦૦ કિલોમીટરની રેન્જવાળી મિસાઈલ વિકસાવવાનો હતો, જે યુરોપ, એશિયા અને આફ્રિકાના ડઝનબંધ દેશો માટે ખતરો હતો. ઈરાની શાસને આ વાતનો ઇનકાર કર્યો હતો. અમે હંમેશા જાળવી રાખ્યું છે કે લંડન, પેરિસ અથવા બર્લિનને મારવા સક્ષમ મિસાઈલો સાથે, ઈરાની આતંકવાદી શાસન હવે વૈશ્વિક ખતરો છે. ઈરાની આતંકવાદી શાસને પ્રદેશના ૧૨ દેશો પર હુમલો કર્યો છે અને એવી ક્ષમતા વિકસાવી રહ્યું છે જે વધુ વ્યાપક ખતરો ઉભો કરે છે.”
આ દરમિયાન, ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂએ ઠ પર એક પોસ્ટમાં લખ્યું, “આ સાંજ આપણા ભવિષ્ય માટે આ અભિયાનમાં અત્યંત મુશ્કેલ છે. થોડા સમય પહેલા જ, મેં અરાદના મેયર યાયર માયાન સાથે વાત કરી અને તેમને બધા ઇઝરાયલી નાગરિકો વતી ઘાયલોની શાંતિ માટે અમારી પ્રાર્થનાઓ પહોંચાડવા કહ્યું. મેં મારા કાર્યાલયના મહાનિર્દેશકને તમામ સરકારી મંત્રાલયો સાથે સંકલનમાં જરૂરી સહાય પૂરી પાડવા સૂચના આપી છે. હું હાલમાં ક્ષેત્રમાં કાર્યરત કટોકટી અને બચાવ દળોને વધુ મજબૂત બનાવી રહ્યો છું અને દરેકને હોમ ફ્રન્ટ કમાન્ડની સૂચનાઓનું પાલન કરવા હાકલ કરી રહ્યો છું. અમે બધા મોરચે અમારા દુશ્મનો પર પ્રહાર કરવાનું ચાલુ રાખવા માટે કટિબદ્ધ છીએ.”









































