બળાત્કાર કેસમાં ફસાયેલા આમ આદમી પાર્ટીના સનૌરના ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરાની મધ્યપ્રદેશના ગ્વાલિયર નજીક પટિયાલા પોલીસે ધરપકડ કરી છે. એસએસપી વરુણ શર્માએ આ વાતની પુષ્ટિ કરી.
પઠાણ માજરા છેલ્લા ઘણા મહિનાઓથી ફરાર હતો. સપ્ટેમ્બરમાં, ઝીરકપુરની એક મહિલાની ફરિયાદના આધારે પટિયાલાના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં પઠાણ માજરા વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો. બાદમાં, જ્યારે પટિયાલા પોલીસ પઠાણ માજરાની ધરપકડ કરવા માટે હરિયાણાના એક ગામમાં પહોંચી, ત્યારે તે ભાગી ગયો.
પઠાણ માજરા પર પોલીસ પાર્ટી પર હુમલો કરીને ભાગી જવાનો આરોપ હતો. જાકે, બાદમાં એવું બહાર આવ્યું કે તે ભાગી જવા દરમિયાન ઓસ્ટ્રેલિયામાં હતો. આ સમયગાળા દરમિયાન, પઠાણ માજરા સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાની જ સરકાર પર હુમલો કરતો રહ્યો. તેણે સરકાર પર બદલો લેવા માટે તેની સામે કેસ દાખલ કરવાનો આરોપ લગાવ્યો.
પઠાણ માજરાએ જણાવ્યું કે પૂર દરમિયાન તેણે પોતાના સુનૌર મતવિસ્તારના લોકોના અધિકારો માટે સરકાર સામે અવાજ ઉઠાવ્યો હતો, અને આ જ કારણસર તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.










































