ભારતીય સશસ્ત્ર દળોનું સન્માન કરવામાં આવશે
આઇપીએલ ૨૦૨૫ સીઝન હવે તેના સમાપન તરફ આગળ વધી રહી છે. મંગળવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચ આ સિઝનની છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચ હશે. આ પછી, ગુરુવારથી પ્લેઓફ મેચો રમાશે અને ત્યારબાદ ૩ જૂને, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઇપીએલની ૧૮મી સીઝનનો ટાઇટલ મેચ રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આઇપીએલના સમાપન સમારોહની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને તેના માટે એક ખાસ યોજના બનાવી છે.
બીસીસીઆઇએ ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે અને આ અંતર્ગત બોર્ડે સમાપન સમારોહ માટે સીડીએસ, આર્મી ચીફ, વાયુસેના અને નૌકાદળના વડાઓને આમંત્રણ આપ્યું છે. “બોર્ડ આપણા સશસ્ત્ર દળોની બહાદુરી, હિંમત અને નિઃસ્વાર્થ સેવાને સલામ કરે છે, જેમના ઓપરેશન સિંદૂરમાં બહાદુરીભર્યા પ્રયાસે રાષ્ટÙનું રક્ષણ કર્યું અને આપણને પ્રેરણા આપી,” એમ બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાને ન્યૂઝ એજન્સી પીટીઆઈ દ્વારા ટાંકીને જણાવાયું છે. આદરના સંકેત તરીકે અમે સમાપન સમારોહ સશસ્ત્ર દળોને સમર્પિત કરવાનું નક્કી કર્યું છે. તેમણે કહ્યું કે, અમે ઓપરેશન સિંદૂરની સફળતા માટે અમદાવાદમાં યોજાનારી ફાઇનલ મેચ માટે ત્રણેય સેનાના વડાઓ, ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અને ભારતીય સેનાના સૈનિકોને આમંત્રણ આપ્યું છે.
દેશભક્તિની ભાવનાને વધુ વધારવા માટે, આ કાર્યક્રમમાં લશ્કરી બેન્ડ દ્વારા પ્રદર્શન અને ત્યારબાદ સંગીત કાર્યક્રમ રજૂ થવાની સંભાવના છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક લાખથી વધુ દર્શકો આવવાની અપેક્ષા છે, તેથી બીસીસીઆઇ આશા રાખે છે કે સમાપન સમારોહ સફળ રહેશે. સાકિયાએ કહ્યું, ભલે ક્રિકેટ એક રાષ્ટ્રીય જુસ્સો હોય, પરંતુ આપણા દેશની સાર્વભૌમત્વ, અખંડિતતા અને સુરક્ષા કરતાં વધુ મહત્વનું કંઈ નથી.
જાકે, આ પહેલી વાર નથી જ્યારે આઇપીએલ દરમિયાન સશસ્ત્ર દળોને સમર્પિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. ૨૦૧૯ માં, બીસીસીઆઇએ ચેન્નાઈમાં ટુર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહ માટે લશ્કરી બેન્ડને આમંત્રણ આપ્યું હતું અને પુલવામા આતંકવાદી હુમલા પછી સશસ્ત્ર દળોને ૨૦ કરોડ રૂપિયાનું યોગદાન આપવાનું પણ વચન આપ્યું હતું. પુલવામા હુમલામાં ૪૪ સીઆરપીએફ જવાનો શહીદ થયા હોવાનું જાણવા મળે છે.
ભારતે ૭ મેના રોજ ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદી ઠેકાણાઓ પર સચોટ હુમલા કર્યા હતા. ૨૨ એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ પછી, પાકિસ્તાને ૮, ૯ અને ૧૦ મેના રોજ ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, જેનો ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો. આ બદલો લેવાથી પાકિસ્તાનના અનેક લશ્કરી સ્થાપનોને નુકસાન થયું, જેમાં હવાઈ મથકો, રડાર સ્થળો અને કમાન્ડ સેન્ટરોનો સમાવેશ થાય છે. આનાથી ગભરાઈને, પાકિસ્તાને ૧૦ મેના રોજ ભારત સમક્ષ યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્્યો, જેને બંને દેશોએ પરસ્પર ચર્ચા બાદ લાગુ કર્યો.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવની અસર આઈપીએલ પર પણ પડી અને ટુર્નામેન્ટ એક અઠવાડિયા માટે મુલતવી રાખવી પડી. યુદ્ધવિરામ પછી, ૧૭ મેના રોજ આઇપીએલ ફરી શરૂ થઈ, પરંતુ તેનું સમયપત્રક બદલવું પડ્યું. શેડ્યૂલ મુજબ,આઇપીએલ ફાઇનલ ૨૫ મેના રોજ કોલકાતામાં રમવાની હતી, પરંતુ બાદમાં એક સુધારેલ શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું હતું જે હેઠળ ૩ જૂને અમદાવાદમાં ફાઇનલ મેચ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સશસ્ત્ર દળોના સન્માનમાં કેટલીક મેચો પહેલાં રાષ્ટÙગીત પણ વગાડવામાં આવ્યું હતું.