અમરેલીના ચલાલા રોડ પર આવેલી અમર ડેરી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં પર્યાવરણ જાળવણી માટે મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે
વૃક્ષારોપણ અને વૃક્ષ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ઉપસ્થિત સૌએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાનો સંકલ્પ કર્યો હતો. પર્યાવરણની જાળવણીના અનેક ફાયદાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે હવા, જળ, જમીન અને અવાજ પ્રદૂષણ અટકાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, એમ.ડી. ડો. આર.એસ. પટેલ, દૂધ મંડળીના પ્રમુખ-મંત્રીઓ અને કર્મચારીગણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.