અમરેલી શહેરના ચક્કરગઢ રોડ સ્થિત રેલવે ફાટક નં.૨૩ ખાતે એલ.એચ.એસ.ની કામગીરી ટૂંક સમયમાં શરુ થશે. નાના અને હળવા વાહનો માટે કામચલાઉ ધોરણે ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવ્યું છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. આ જાહેરનામા મુજબ ભારે વાહનોએ અમરેલી બાયપાસથી સાવરકુંડલા ચોકડી થઈને તથા નાના માચીયાળા બાયપાસ (ચિત્તલ રોડ) થઈને શહેરમાં પ્રવેશ કરવો. ફોરવર્ડ સર્કલ, હરિરામ બાપા સર્કલ, બીનાકા ચોક, સોમનાથ મહાદેવ મંદિરથી પાણી દરવાજા, ગઢની રાંગ પાસે થઈ બહારપરા પાછળના ગાયત્રી મોક્ષ ધામ તરફ જતા રસ્તે અમરેલી સાવરકુંડલા રોડ પર અમરેલી પરા રેલવે ફાટક પસાર કરી સાવરકુંડલા ચોકડીથી પસાર થવું. આ જાહેરનામું તા. ૦૨.૦૮.૨૦૨૫ સુધી અમલી રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર રહેશે.