ભારતીય જનતા પાર્ટી, અમરેલી જિલ્લા દ્વારા સાવરકુંડલા શહેરમાં સાવરકુંડલા-લીલીયા અને રાજુલા-જાફરાબાદ વિધાનસભા મતવિસ્તારના શક્તિ કેન્દ્ર સંયોજકોની એક મહત્વપૂર્ણ બેઠક સફળતાપૂર્વક સંપન્ન થઈ. આ બેઠકમાં ભાજપ સંગઠનને વધુ મજબૂત બનાવવા અને આગામી ચૂંટણીલક્ષી રણનીતિ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સાવરકુંડલા, લીલીયા, રાજુલા અને જાફરાબાદ વિધાનસભા મતવિસ્તારના તમામ શક્તિ કેન્દ્ર સંયોજકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પક્ષની નીતિઓ અને કાર્યક્રમોને જન-જન સુધી પહોંચાડવા માટે સંકલ્પબદ્ધતા વ્યક્ત કરી હતી. આ બેઠકમાં સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય અને પ્રદેશ મંત્રી મહેશભાઈ કસવાળા, પ્રદેશ આગેવાન પુનિતભાઈ શર્મા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, માર્કેટિંગ યાર્ડ ચેરમેન દીપકભાઈ માલાણી, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડીયા, સાવરકુંડલા શહેર પ્રમુખ અનિરુધ સિહ રાઠોડ, તાલુકા પ્રમુખ રજનીભાઈ ડોબરિયા, લીલીયા તાલુકા મહામંત્રી ગૌતમભાઈ વિછીયા, જાફરાબાદ શહેર પ્રમુખ કુલદીપભાઈ વરુ, તાલુકા પ્રમુખ સંદીપભાઈ શિયાળ, રાજુલા શહેર પ્રમુખ વનરાજભાઈ વરુ, તાલુકા પ્રમુખ ધીરુભાઈ નકુમ, મહામંત્રીઓ તેમજ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ અને શક્તિકેન્દ્ર સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને બુથ સ્તર સુધી સંગઠનને વધુ સક્રિય બનાવવા પર ભાર મૂક્યો હતો. પક્ષના અગ્રણી નેતાઓએ ઉપસ્થિત સંયોજકોને સરકારની કલ્યાણકારી યોજનાઓ અને વિકાસ કાર્યોની માહિતી લોકો સુધી પહોંચાડવા આહ્વાન કર્યું હતું. આ બેઠક ભાજપ સંગઠનને વધુ ગતિશીલ બનાવવામાં અને જનસંપર્ક અભિયાનને વધુ અસરકારક બનાવવામાં મદદરૂપ થશે.