ગુર્જર સોરઠિયા દરજી જ્ઞાતિ વિકાસ મંડળ દ્વારા ૮ જૂન, ૨૦૨૫, રવિવારના રોજ બટારવાડીમાં આવેલી દરજીની વાડી ખાતે જ્ઞાતિ સ્નેહમિલન, ઇનામ વિતરણ અને સામાન્ય સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં દરજી જ્ઞાતિના મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા. આ સ્નેહમિલનનો એજન્ડા, પ્રાર્થના, સભા અધ્યક્ષની વરણી, શ્રદ્ધાંજલિ, સ્વાગત પ્રવચન, વર્ષ ૨૦૨૪-૨૫ના આવક-જાવકનો હિસાબ, અને વર્તમાન ટ્રસ્ટી મંડળની મુદત પૂર્ણ થતાં નવા ટ્રસ્ટી મંડળની રચના જેવા મુદ્દાઓ પર કેન્દ્રિત હતો. આ ઉપરાંત, ધોરણ ૧ થી કોલેજ સુધીના તમામ બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓનું સન્માન અને નિવૃત્ત કર્મચારીઓનું પણ બહુમાન કરવામાં આવ્યું. જૂના ટ્રસ્ટી મંડળોએ વય મર્યાદા પૂર્ણ થતા વિદાય લીધી અને તેમનું સન્માન કરવામાં આવ્યું, જ્યારે નવા બનેલા ટ્રસ્ટીઓનું સન્માન અને સ્વાગત કરાયું. જ્ઞાતિજનોને નવા બનેલા ટ્રસ્ટી મંડળને સાથ સહકાર આપવા વિનંતી કરવામાં આવી હતી.