અમરેલી સ્થિત એ.આર.ટી.ઓ. કચેરી ખાતે અનઅધિકૃત વ્યક્તિઓ, જેમાં વ્યાજબી કામ સિવાયના ઈસમો કે ટોળીઓ તેમજ અરજદારોને ગેરમાર્ગે દોરનારાઓનો સમાવેશ થાય છે, તેમના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આ હુકમનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ કાનૂની કાર્યવાહી થશે. એ.આર.ટી.ઓ. કચેરીના સહાયક મોટર વાહન નિરીક્ષક (વર્ગ-૩) કે તેથી ઉપરના હોદ્દા ધરાવતા કર્મચારીઓ અને જિલ્લાના હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરના પોલીસ અધિકારીઓને આ હુકમનો ભંગ કરનાર સામે ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. આ હુકમ ૨૨ જુલાઈ, ૨૦૨૫ સુધી અમલમાં રહેશે.