લોહાણા સમાજ દ્વારા લોહાણા મહાપરિષદ ઝોન-૪ અને ખીમજી ભગવાનદાસ ચેરી. ટ્રસ્ટના સહકારથી અને દાતા પરિવારના સહયોગથી લોહાણા જ્ઞાતિના દરેક બાળકો માટે રાહત દરે ચોપડા વિતરણનો કાર્યક્રમ ગત રવિવારે લોહાણા વિદ્યાર્થી ભવન, અમરેલી ખાતે યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિના બાળકોને આ લાભ આપવામાં આવ્યો હતો. આ તકે કાર્યક્રમમાં લોહાણા મહાજનના પ્રમુખ ડો. ભરતભાઈ કાનાબાર, ઉપપ્રમુખ ભાવેશભાઈ સોઢા, પૂર્વ પ્રમુખ અને સમાજના વડીલ જે. પી. ગોળવાળા, વિદ્યાર્થી ભવનના પ્રફુલભાઈ બાટવીયા, ઝોન ૪ના પ્રમુખ સુમિતભાઈ ઠક્કર, જોઇન્ટ સેક્રેટરી ભદ્રેશભાઈ ઠક્કર, રિજીયન પ્રમુખ નિલેશભાઈ મજીઠિયા, રિજીયન પ્રમુખ અમરેલી સંજયભાઈ વણજારાના માર્ગદર્શનમાં વિતરણ વ્યવસ્થા કરવામાં આવી હતી.