અમરેલી મોઢ વણિક કોમ્યુનિટી પ્રોપર્ટી અને સુદર્શન નેત્રાલયના સંયુક્ત ઉપક્રમે ગુરુવારે મોઢ મહાજન વાડી ખાતે જ્ઞાતિ પ્રમુખ દિલીપભાઇ પરીખના માર્ગદર્શન હેઠળ નિઃશૂલ્ક નેત્ર નિદાન અને નેત્રમણિ આરોપણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડો. પલકબેન મોદી, રાજુભાઇ પરીખ, પંકજભાઇ ગાંગડિયા, કિર્તીભાઇ ભટ્ટ, સંજયભાઇ પરીખ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ. આ કેમ્પમાં કુલ ૪૯ દર્દીઓએ લાભ લીધેલ હતો. આ કેમ્પ એક વર્ષ સુધી દર મહિનાના બીજા ગુરુવારે યોજાશે.