અમરેલીમાં નગરપાલિકા દ્વારા રૂક્ષ્મણી બાલમંદિરના પટાંગણમાં નગરપાલિકાના પ્રમુખ બીપીનભાઈ લીંબાણી, ચીફ ઓફિસર કુંભાણી, કારોબારી ચેરમેન મનીષભાઈ ધોરાજીયા, રોશની શાખા ચેરમેન ચિરાગભાઈ ત્રિવેદી, સદસ્ય હરેશભાઈ ચાવડા, નરેશભાઈ મહેતા, સ્વસહાય જૂથની બહેનો અને નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ૫ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે મહાનુભાવોની હાજરીમાં સ્વસહાય જૂથની બહેનોને સાથે રાખીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.