અમરેલીમાં આગામી ૯ જૂન, ૨૦૨૫ના રોજ કૌશિકભાઈ વેકરીયાના જન્મદિવસની ઉજવણી નિમિત્તે જીવનદાયી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર અમરેલી વિધાનસભા ભાજપ પરિવાર અને રોટરેક્ટ ક્લબ ઓફ અમરેલી ગીરના સંયુક્ત ઉપક્રમે યોજાશે. આ રક્તદાન શિબિર લાયન્સ ક્લબ હોલ, એંજલ લોડ્‌ર્સ હોટલ સામે, અમરેલી ખાતે સવારે ૯ વાગ્યાથી શરૂ થશે. આયોજકોએ જણાવ્યું છે કે “તમારું દાન, કોઈ માટે જીવદાન બની શકે છે” અને “એક યુનિટ રક્ત ત્રણ જિંદગીઓ બચાવી શકે છે.” આ જન્મદિવસને વધુ ખાસ બનાવવા માટે લોકોને રક્તદાન કરીને “નાયક બનવા” અપીલ કરવામાં આવી છે. આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે “એક પગલું તમારું, નવી આશા કોઈની!” વધુ માહિતી માટે, અમરેલી શહેર ભાજપના મહામંત્રી રાકેશભાઈ સાવલિયાનો ૯૯૦૯૧૮૮૨૭૫ નંબર પર સંપર્ક કરી શકાય છે.