અમરેલી તાલુકાના વડેરા મુકામે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે ૧.૦૫ કરોડ લીટરની સંગ્રહ ક્ષમતા ધરાવતા ચેકડેમના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત થયું હતું. જળસિંચન રાજ્ય વિભાગ હસ્તકના આ ચેકડેમનું નિર્માણ થતા આ વિસ્તારની જમીનના તળ ઉંચા આવશે. રાજ્યમંત્રીએ નિર્માણ ક્ષેત્રની મુલાકાત કરી અને તેનું નિરીક્ષણ કર્યું હતું. આશરે રૂ. ૨૬.૯૫ લાખના ખર્ચે તૈયાર થનારા આ ચેકડેમથી અમરેલી તાલુકાના વડેરા ગામ તેમજ આસપાસના વિસ્તારમાં પાણીના તળ ઉંચા આવશે. આસપાસના કૃષિકારો સહિતના રહીશોને આ ચેકડેમનું નિર્માણ થતા ફાયદો થશે તેમજ કૃષિ અને પિયતને ફાયદો થશે. રાજ્યમંત્રીએ આ કામ સમયમર્યાદામાં અને ગુણવત્તાયુક્ત થાય તેમ જણાવ્યું હતું.