અમરેલીના દેવભૂમિ દેવળીયા ગામે રહેતા પ્રૌઢ મહિલા પાણી ભરતી વખતે કઈંક બોલતા હતા જેથી તેમની બાજુમાં રહેતા પડોશીને સારું નહોતું લાગ્યું અને મુંઢમાર માર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે લક્ષ્મીબેન ગોવિંદભાઈ પીપળીયા (ઉ.વ.૬૫)એ કાળુભાઈ નનુભાઈ વાઘેલા તથા તેમના પત્ની સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ પોતાના ઘરે પાણી ભરતા ભરતા કાંઇક બોલતા હતા જેથી તેમના ઘરની બાજુમાં રહેતા કાળુભાઇ નનુભાઇ વાઘેલા તથા તેની પત્નીને સારૂ નહીં લાગતા લાકડીનો એક ઘા કમરના ભાગે માર્યો હતો. તેમજ થાપાના ભાગે ફ્રેકચર ર્ક્યું હતું. ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.એન. જાદવ વધુ તપાસ કરી રહ્યા છે.