અમરેલી જિલ્લામાં સગીરા પર બળાત્કારના કેસમાં થોડા સમયથી ઉછાળો આવ્યો હોય તેવું લાગી રહ્યુ છે. જેમાં ખાસ કરીને જિલ્લામાં કામ કરતા પરપ્રાંતીય શખ્સો સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી રહ્યાં છે.આવો જ એક ધૃણાસ્પદ બનાવ અમરેલીના તરકતળાવ ગામે બન્યો છે. જેમાં મુળ કાપસી તા.કુકશી, જિલ્લા ધાર(મધ્યપ્રદેશ)નો એક પરિવાર રોજીરોટી મેળવવા માટે આવ્યો હતો. તરકતળાવ ખાતે ચંદુભાઈના ખેતરમાં મજૂરી કરતા હતા. આ પરિવારની ૧પ વર્ષની દીકરી ગત તા.૩-૧-ર૦રપના રોજ પોતાના ઘર પાસે કુદરતી હાજતે ગઈ હોય ત્યારે તેના જ પંથકમાં રહેતો ભાયા ઘોટીયા વાસ્કલા રહે.ઈમ્બલીપુરા તા. કુકશી, જી.ધારવાળાએ ત્યાં ધસી જઈ સગીરાને કપાસના ખેતરમાં ઢસડી જઈ સગીરાની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજાર્યો હતો અને આ વાત કોઈને કહીશ તો તારા માતા-પિતાને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી નાસી ગયો હતો જેથી સગીરાના પિતાએ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા અમરેલી તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.