વાવેતર કરતા પહેલા જે પાકમાં રાસાયણિક ભલામાણ હોય તે મુજબ ગણતરી કરીને જ ખાતર ખરીદવું અને હવે જમીનોમાં પોટાશ તત્વની ઉણપ વર્તાય છે તો પાયામાં પોટાશ ખાતર આપવું જરૂરી છે. વર્ષમાં એક વખત જમીનનું વિશ્વાસપાત્ર સંસ્થા પાસે પૃથ્થકરણ કરાવી લેવું જોઈએ.
જમીનમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ વધવાના કારણે અને રાસાયણિક દવાઓ તેમજ નિંદામણનાશકનો વધુ પડતો ઉપયોગ થવાથી જમીનની ફળદ્રુપતા ઘટતી જાય છે. હવે જમીનમાં રાસાયણિક ખાતરોના ઉપયોગ વગર ઉત્પાદન આવતું નથી. ધીમે ધીમે જમીન બંજર બનતી જાય છે. ત્યારે રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઓછો કરવો જરૂરી છે. તે માટે બજારમાં મળતા જમીનનો કાર્બન અને તંદુરસ્તી વધારતા બેક્ટેરીયલ ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ.
ઘઉં:
• ઘઉંનું વધુ ઉત્પાદન મેળવવા માટે ઘઉંની વાવણી નવેમ્બરમાં કરવી.
• કોઈપણ પાકનું વાવેતર કરવું હોય તો તેની વાવવાની તારીખ જાણીને જ વાવેતર કરવું.
• ૧૦૦ કિ.ગ્રા. બિયારણ દીઠ બાયફેન્થ્રીન ૧૦% ઈસી.ર૦૦ મિ.લિ. દવાને પાંચ લિટર પાણીમાં ઓગાળી આગળની રાત્રે સારી રીતે પટ આપી ખુલ્લામાં સૂકવીને બીજા દિવસે વાવેતર કરવું.
• પિયત ઘઉંમાં નિંદામણના રાસાયણિક નિયંત્રણ માટે પેન્ડીમિથેલીન (સ્ટોમ્પ) દવાને પ્રતિ હેકટરે ૧ કિલો સક્રિય તત્વ ૬૦૦ લિટર પાણીમાં ઓગાળી વાવણી બાદ તુરંત જ (ઘઉં ઉગ્યા પહેલા) છંટકાવ કરવો.
• વહેલું કે મોડું વાવેતર કરવાથી ઉત્પાદન અને ગુણવત્તા પર માઠી અસર થાય છે.
• શિયાળુ પાકોનું ઠંડીની શરૂઆત પહેલાં વાવેતર કરવાથી ઉગાવો, વૃધ્ધિ અને વિકાસ પર વિપરીત અસર થાય છે. પરિણામે પુરી મહેનત અને ખર્ચ કરવા છતાંય ધાર્યું ઉત્પાદન મળે નહીં.
મકાઈઃ
• મકાઈ સ્વીટકોર્ન હાઈબ્રીડ જીએએસસીએચ – ૧૧ (મધુરમ) રવિ ઋતુમાં વાવેતર માટે ભલામણ છે. આ ગાભમારાની ઈયળ સામે પ્રતિકારકશક્તિ ધરાવે છે.
થ્રીપ્સઃ ઓળખ:
આ જીવાતનાં બચ્ચાં અને પુખ્ત બારીક, લાંબા, કાળા રંગના અને આશરે ૧ મી.મી. લંબાઈના હોય છે.
નુકસાન: આ જીવાતનાં બચ્ચાં અને પુખ્ત પાન અને ફૂલો ઉપર ખાસ પ્રકારની મુખાંગો વડે બારીક ઘસરકા પાડીને કુમળા પાન તેમજ ફૂલોમાંથી નીકળતો રસ ચૂસે છે. નુકસાન થયેલ પાનની સપાટી સૂકાઈ જવાથી ઝાંખી સફેદ દેખાય છે. પાન કોકડાઈ જાય છે, ફૂલ ખરી પડે છે અને છોડનો વિકાસ રૂંધાય છે.
નિયંત્રણઃ શોષક પ્રકારની દવા, જેવી કે ડાયમીથોએટ ૧૦ મિ.લિ. અથવા ફલોનીકામાઈડ ૩ ગ્રામ અથવા થાયામીથોકઝામ ૪ ગ્રામ અથવા ઈમિડાકલોપ્રીડ ૪ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં મેળવીને જરૂરત મુજબ છંટકાવ કરવો.
તુવેર: વંધ્યત્વનો રોગ
• આગળના વર્ષના છોડ જો શેઢાપાળા પર કે ખેતરમાં રહી ગયેલ હોય તો તેને દુર કરવા. શરૂઆતમાં રોગીષ્ઠ છોડ દેખાય તો ઉપાડી નાશ કરવો.
• પાન કથીરીથી રોગ ફેલાતો હોવાથી તેના નિયંત્રણ માટે ફેનાઝાકિવન ૧૦ મિ.લિ. અથવા પ્રોપરગાઈડ ૧૦ મિ.લિ. અથવા ફેનપાયરોક્ષીમેટ ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મેળવીને છંટકાવ કરવો.
જૈવિક નિયંત્રણઃ
લીલી ઇયળનાં નિયંત્રણ માટે નર ફૂંદાને આકર્ષતા ફેરોમોન ટ્રેપ ગોઠવવા. આ જીવાતનું એનપીવી ૪૫૦ એલઇ/હે છાંટવું. લીમડાની લીંબોળીનો અર્કનો ઉપયોગ કરવો. અથવા ડાયક્લોરવોશ અથવા ક્વિનાલફોસ પૈકી કોઇપણ એક દવાનો છંટકાવ કરવો.
પરજીવી:
લીલી ઈયળનાં નિયંત્રણ માટે કેમ્પોલેટીસ કલોરીડી અને યુકારસેલીયા ઈલોટાનામની બે પરજીવી ભમરીઓ અસરકારક છે. આથી આ પરજીવીઓને ઓછું નુકસાન થાય, તેવી સલામત દવાઓનો છંટકાવ કરવો.
• પરભક્ષી કીટક: પરભક્ષી કીટક જેવાં કે ક્રાયસોપા લીલી ઈયળનાં ઈંડા તેમજ નાની ઈયળનું ભક્ષણ કરે છે.
• જીવાણું (બેકટેરિયા): લીલી ઈયળનાં નિયંત્રણ માટે બેસીલસ થુરીન્જીએન્સીસ (બીટી) નામનાં જીવાણુંયુકત પાઉડર બજારમાં મળે છે. હેકટરે ૧ કિ.ગ્રા. બીટી (પ૦૦ લિટર પાણીમાં) પાઉડરનો છંટકાવ કરવાથી સારૂં પરિણામ મળે છે.
• વિષાણું: ઉભા પાકમાં હેકટરે વિષાણુંયુકત (એન.પી.વી.) રપ૦ રોગિસ્ટ ઈયળનું દ્વાવણ છાંટવાથી લીલી ઈયળનું અસરકારક નિયંત્રણ મળે છે. એન.પી.વી. પર સીધા સૂર્યપ્રકાશની માઠી અસર થતી હોઈ તેનો છંટકાવ દિવસનાં ઢળતા પહોરે કરવો.
પ. વનસ્પતિજન્ય પેદાશોઃ
લીંબોળીનાં મીંજનું પ ટકા દ્વાવણ (પ૦૦ ગ્રામ મીંજનો પાવડર ૧૦ લિટર પાણીમાં) નાં ર થી ૩ છંટકાવ કરવાથી લીલી ઈયળનું અસરકારક નિયંત્રણ મળે છે.
૬. હાથથી વીણીનેઃ તુવેર પાક પર લીલી ઈયળનો વધુ ઉપદ્રવ હોય તો, મોટી ઈયળને હાથથી વીણી લેવી અથવા છોડને હલાવતા તે નીચે પડશે, જેને વીણીને નાશ કરવો.
શેરડીઃ
• શેરડીમાં આંતરપાક તરીકે ચણા, લસણ અથવા ડુંગળીનું વાવેતર કરવું.
• શેરડીમાં સંકલિત ખાતર વ્યવસ્થા માટે શેરડીનું વધુ ઉત્પાદન અને ખાંડનો સારો ઉતારો મેળવવા માટે ભલામણ કરેલ રસાયણિક ખાતર સાથે હેક્ટર દીઠ ૨૫ ટન કોહવાયેલું છાણીયું ખાતર આપવું જોઈએ. છાણીયા ખાતરની અવેજીમાં હેકટરે ૬૨૫ કિલો દીવેલીનો ખોળ અથવા ૧૨ ટન જુનો પ્રેસમડ આપવાની ભલામણ છે. જે ખેડૂત એક વર્ષ જુનો પ્રેસમડ ૧૨ ટન /હેકટરે આપે, તેમણે ભલામણ કરેલ ફોસ્ફરસના જથ્થાનો અડધો જ જથ્થો આપવો.
રાસાયણિક નિયંત્રણઃ
તુવેર અને અન્ય કઠોળ પાકોમાં પ૦ ટકા ફૂલ બેસવાની અવસ્થાએ અને ત્યારબાદ ૧પ દિવસે નીચે પૈકીની કોઈપણ એક દવાનો ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.
કવીનાલફોસ ર૦ મિ.લિ. અથવા સ્પીનોસાડ ર મિ.લિ. અથવા થાયોડીકાર્બ ૧૦ ગ્રામ અથવા ફલુબેન્ડીયામાઈડ ર મિ.લિ. અથવા કલોરાન્ટ્રાનીલીપ્રોલ ૧.પ મિ.લિ. અથવા એમામેકટીન બેન્ઝોએટ ર ગ્રામ. બિનપિયત પાકમાં કવીનાલફોસ ૧.પ ટકા ભૂકીરૂપ દવા હેકટરે રપ કિ.ગ્રા. પ્રમાણે છંટકાવ કરવો. ઉપરોકત બધી જ પધ્ધતિઓનો જયાં અને જયારે ઉપયોગ થઈ શકે, તે મુજબ તેને અપનાવવાથી કઠોળ પાકમાં ફૂલ અને શીંગોને નુકસાન કરતી જીવાતનું અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ થઈ શકે છે.
ચણાઃ
• ગુજરાત ચણા-૧, ૨, ૩, ૫, ૬, ૭, દાહોદ પીળા, ચાફામાંથી કોઈપણ એક જાતનું વાવેતર કરો.
• વાવેતર વખતે હેક્ટર દીઠ ૨૫ કિલોગ્રામ નાઈટ્રોજન અને ૫૦ કિલોગ્રામ ફોસ્ફરસ તત્વ એટલે કે ૧૦૯ કિલોગ્રામ ડી.એ.પી. અને ૧૨ કિલોગ્રામ યુરિયા અથવા ૨૭ કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ ખાતર આપવું અને ૮૦ કિલોગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ આપવું.
રાઈઃ
• હેકટર દીઠ ૨૫ કિલોગ્રામ નાઈટ્રોજન અને ૨૫ કિલોગ્રામ ફોસ્ફરસ તત્વ એટલે કે ૫૪ કિલોગ્રામ ડી.એ.પી. અને ૩૩ કિલોગ્રામ યુરિયા અથવા ૭૬ કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ ખાતર જમીનમાં ઓરીને આપવું. • બિયારણનો દર ૩.૫ કિલોગ્રામ પ્રતિ હેકટર રાખવો.
વિવિધ મસાલા પાકો માટે વાવણીનો યોગ્ય સમય
• જીરૂનું વાવેતર નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં જયારે ઠંડીની શરૂઆત થાય અને દિવસનું ઉષ્ણતામાન ૩૦ અંશ થી ૩૨ અંશ સેન્ટીગ્રેડની આસપાસ થાય ત્યારે કરવું જોઈએ.
• ચોમાસું વરીયાળીના પાક માટે ધરૂની ફેરરોપણી ઓગસ્ટ માસના બીજા પડખવાડિયામાં વરસાદી વાતાવરણમાં કરવી હિતાવહ છે.
• રવિ ત્રતુમાં વરીયાળીનું વાવેતર ૧૫ ઓક્ટોબર બાદ જ્યારે તાપમાનમાં ઘટાડો થાય અને રાત્રીના પાછલા પહોરમાં ઠંડીની શરૂઆત થાય ત્યારે કરવું જોઈએ.
• મેથી અને ધાણાની વાવણીનો યોગ્ય સમય નવેમ્બરના પ્રથમ અઠવાડિયાનો છે. જયારે સુવા અને અજમાની વાવણી ઓક્ટોબર માસ દરમ્યાન કરવી.
દાડમઃ
• દાડમમાં હસ્તબહાર લેવી. પિયત ચોમાસું પૂરું થાય પછી બંધ કરવું.
• નિયમિત પિયત આપવાથી ફળ ફાટતા નથી.
નાળીયેરીઃ
• નાળીયેરીના ફળ કાળા પડી અને ખરી જાય છે તે માટે આ પાનકથીરી નામની જીવાતની અસરને લીધે થાય છે. લીમડા આધારીત દવાનું મૂળ શોષણ પધ્ધતિ દ્વારા ર માસ અંતરે ર કે ૩ વાર આપવાથી થઈ શકે છે.
• નાના ફળ ખરી પડવાના કારણોમાં ઝાડને સારૂ પોષણ મહત્વની બાબત હોવાથી ભલામણ પ્રમાણે ઝાડ દીઠ ૧ કિલો એમોનિયમ સલ્ફેટ ૧ કિલો સુપર ફોસ્ફેટ તથા ૧.રપ૦ કિલો મ્યુરેટ ઓફ પોટાશ જૂન-જુલાઈમાં અને તેટલો જ બીજો હપ્તો સપ્ટેમ્બર-આકટોબરમાં આપવો.
આંબો: આંબોને ઓક્ટોબર કે નવેમ્બર માસમાં પોટેશિયમ નાઈટ્રેટ ૨ ટકાના દ્રાવણના બે છંટકાવ કરવા.
પપૈયાઃ તાઈવાન હાઈબ્રીડ જાતમાં નર અને માદા એક જ ફુલમાં હોવાથી એક ખાડામાં એક છોડનું વાવેતર કરવું.
ચીકુઃ
• ચોમાસા પછી ચીકુમાં સુકારો રોગ આવે છે. તેના નિયંત્રણ માટે પ્રથમ તો ચીકુવાડીયામાં ડાંગર જેવા પાક લેવો જોઈએ નહી.
• બોર: ચોમાસું પૂરુ થયા પછી બોરના ઝાડ ફરતે કાળા પ્લાસ્ટિકનું મલ્ચ (૨૫ માઈક્રોન) પાથરવાથી વધુ ઉત્પાદન મળે છે.
લીંબુ: લીંબુના પાકમાં પાન કોરીયા અને કાળી માખીના નિયંત્રણ માટે ઇમિડાક્લોપ્રીડ (૪ મિ.લિ./૧૦ લિટર) નો છંટકાવ કરવો.
કેળ: સીગાટોકા પાનના ત્રાકિયા ટપકા
• રોગ દેખાય ત્યારે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૦ ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા ૨૭ ગ્રામ અથવા પ્રોપીનેબ ૭૦ વેપા ૨૦ ગ્રામ અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ ઈસી ૫ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી રોગની તીવ્રતા પ્રમાણે ૧૫ દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા. દવાના પ્રવાહી મિશ્રણ સાથે એક ચમચી સ્ટીકર ઉમેરવું હિતાવહ છે.
• રોગીષ્ઠ ડાળીઓ કાપી લીધા બાદ કોપર ઓકિસકલોરાઈડ ૫૦ વેપા ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઓગાળી અથવા ૧ % ના બોર્ડો મિશ્રણ અથવા સ્ટ્રેપ્ટ્રોમાયસીન સલ્ફેટ (સ્ટ્રેપ્ટોસાયક્લીન) ૧ ગ્રામ + કોપર ઓકિસકલોરાઈડ ૫૦ વેપા ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
બિયારણ પસંદગી વખતે આટલું ધ્યાન રાખીશું.
• કૃષિ હવામાન વિસ્તાર પ્રમાણે જુદાં જુદા પાકોની જાતો બહાર પાડવામાં આવે છે, જે સ્થાનિક કે અગાઉની જાત કરતાં વધારે ઉત્પાદન, સારી ગુણવત્તા અને રોગ-જિવાત સામે પ્રતિકારક હોય છે.
• ઓછા પિયતની જરૂરિયાત અને વહેલી પાકતી જાતો પણ બહાર પડેલી છે.
• જમીન, હવામાન અને પિયતની સગવડતા પ્રમાણે જાતની પસંદગી કરવી જોઈએ.
• અનુકૂળ સારી જાતનું પ્રમાણિત બિયારણ સમયસર મેળવી લેવુ જોઈએ. ઘણી વખત વાવણીના આગલાં દિવસે જે મળે તે બિયારણ લાવી વાવવામાં આવે છે. જેથી પાક ઉત્પાદન ઓછું અને નબળી ગુણવત્તાનું મળે અને તેનો બજારભાવ પણ ઓછો મળે છે.
• નકલી કે ઉતરતી કક્ષાના બિયારણોમાં રોગ-જિવાત પ્રતિકારતા ન હોવાથી દવા પાછળ પણ ખર્ચ વધે છે. તેથી જો યોગ્ય બિયારણની પસંદગી કરવામાં આવે તો ઉત્પાદન ખર્ચ વધાર્યા સિવાય વધુ ઉત્પાદન મેળવી શકાય.













































