ગીર સોમનાથ જિલ્લામાંથી પસાર થતાં સોમનાથ ભાવનગર નેશનલ હાઇવે ફોર ટ્રેકના સોમનાથ થી ઉના સુધીના હાઇવે ઉપર અનેક જગ્યાએ અધૂરા કામો હોવા છતાં તંત્ર દ્વારા ૬૩ કિ.મી.ના અંતરમાં ત્રણ ત્રણ ટોલનાકા કાર્યરત કરી દેવાતા કોડીનાર ચેમ્બર ઓફ કોમર્સ અને કોડીનારના સામાજિક આગેવાનો દ્વારા આ અંગે સખ્ત શબ્દોમાં વિરોધ કરી માર્ગ અને પરિવહન વિભાગ મંત્રી નીતિન ગડકરી અને ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી.