સાવરકુંડલાના મોલડી ગામે રહેતી એક યુવતીનું ગળાફાંસો ખાવાથી મોત થયું હતું. બનાવ અંગે પ્રતાપભાઈ ઉકાભાઈ ખુમાણ (ઉ.વ.૫૦)એ જાહેર કર્યા મુજબ, ઉર્વશીબેન પ્રતાપભાઈ ખુમાણને પરિવારના સભ્યો ખરીદી કરવા સાથે ન લઈ જતાં મનમાં લાગી આવ્યું હતું.
તેણે દોરડા વડે ગળાફાંસો ખાઈ લેતા મરણ પામી હતી. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ આર. બી. મારુ વધુ તપાસ ચલાવી રહ્યા છે.
બાબરાના ઉંટવડ ગામે રહેતા નારણભાઈ અમરાભાઈ દાફડાનું બીમારીના કારણે મોત થયું હોવાનું રોહિતભાઈ નારણભાઈ દાફડાએ જાહેર કર્યું હતું. બાબરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.