માહી ડેરી દ્વારા ગાંધી જયંતી નિમિત્તે તા. ર ઓકટો, બુધવારના રોજ રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશન ખાતે સ્વચ્છતાના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં સંસ્થાના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ રેલવે કર્મચારીઓ સફાઈ કાર્યક્રમમાં જાડાઈને રેલવે સ્ટેશનમાં સફાઈ કાર્ય કરી સમગ્ર સ્ટેશનને કચરામુક્ત કર્યુ હતું. આ રાષ્ટ્રીય અભિયાનના કાર્યક્રમમાં માહી ડેરીના ચીફ એકિઝકયુટીવ ડો.સંજય ગોવાણીની આગેવાની હેઠળ ડેરીના તમામ કર્મચારીઓ, અધિકારીઓ વગેરેએ ઉપસ્થીત રહી સ્વચ્છતા કાર્ય હાથ ધરી લોકોને કચરો પેટીમાં જ નાંખવા અનુરોધ કર્યો હતો. આ અંગે સંસ્થાના ચીફ એકિઝકયુટીવ ડો.સંજય ગોવાણીએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીએ આપેલા સ્વચ્છતાના સંદેશને આપણે આપણા દૈનિક જીવનના ભાગ સાથે વણી લેવો જાઈએ. કચરો જ્યાં ત્યાં નાખીને આપણે જ આપણા સ્વાસ્થ્ય માટે ખતરો ઉભો કરી રહ્યા છીએ. ત્યારે આપણે આપણી રાષ્ટ્રીય ફરજ સમજીને કચરાનો નિકાલ યોગ્ય જગ્યાએ કરીએ તે આજના સમયની માંગ છે.