ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝનાં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, રાગી, મકાઇની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે કરવામાં આવશે. લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતોએ તેમની નોંધણી ઓનલાઇન કરવાની રહે છે. સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ ફઝ્રઈ મારફતે તેમજ તાલુકા કક્ષાએ નિગમના ગોડાઉન ખાતે તા.૩૧/૧૦/૨૦૨૪ સુધી ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન દ્વારા જ ખરીદી થનાર હોય તમામ ખેડૂતોને નોંધણી કરાવવા અનુરોધ છે. ટેકાના ભાવે ખરીદી તા.૦૬/૧૧/૨૦૨૪ (લાભ પાંચમ) થી તા.૧૫/૦૧/૨૦૨૫ દરમિયાન થશે. બાજરી, જુવાર તથા રાગીમાં ટેકાના ભાવ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પ્રતિ ક્વિન્ટલ રુ.૩૦૦/- નું બોનસ આપવામાં આવશે. નોંધણી માટે જરુરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો ૭, ૧૨, ૮-અની નકલ, ગામ નમુના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેન્ક ખાતાની વિગત, બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તેઓની ઓનલાઇન નોંધણી ફરજિયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવી. ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવી હોય તે ખેડૂતોને જીસ્જી મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ-ઓળખપત્ર સાથે રાખવું. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથોન્ટિફિકેશન દ્વારા જ જથ્થો ખરીદ થશે. માગ્યા મુજબના તમામ ડોક્યુમેન્ટસ અપલોડ થાય તે વખતે ધ્યાનમાં રાખવાનું કે, તે સુવાચ્ય અને સ્પષ્ટ હોય. સ્થળ-કાઉન્ટર છોડતા પહેલાં અપલોડ થાય તેની નોંધણી બાબતે ખાસ કાળજી રાખવી. ડોક્યુમેન્ટસની ચકાસણી વખતે ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવ્યા હોવાનું ધ્યાને આવશે તો જે-તે ખેડૂતના ક્રમ રદ થશે અને ખરીદી માટે તેની જાણ નહીં કરવામાં આવે. નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧ ૭૧૭૧૮ તથા ૮૫૧૧૧ ૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવો, તેમ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ અમરેલી જિલ્લા નાયબ મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું છે.