ચલાલામાં ધારી રોડ પર આવેલ શ્રી શિવસાંઇ-શનિદેવ મંદિર ખાતે શ્રી મોગલ મા માનવ સેવા ટ્રસ્ટ સુરતના સહયોગથી શિવસાંઇ ગ્રુપ દ્વારા તુલસી વિવાહ સાથે સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ગતરોજ સાંજે કમી કેરાળા ગામના રામજી મંદિરેથી ઠાકોરજીની જાન ચલાલા ખાતે વાજતે ગાજતે આવી હતી. આ સાથે આઠ નવદંપતીઓનો વિવાહ પ્રસંગ પણ યોજાયો હતો. શિવસાંઇ ગ્રુપ દ્વારા અનેક સેવાકીય
પ્રવૃત્તિઓ થઈ રહી છે જેમાં સમૂહલગ્નનું આયોજન પણ કરાયું હતું. શિવસાંઇ ગ્રુપ દ્વારા આ ૪૨મા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવેલ. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે શિવસાંઇ મંદિરના પૂજારી રાજુભાઈ જાની, લલીતભાઇ મહેતા, પિયુષભાઈ વિભાણી, મિતેશભાઇ ભટ્ટ, કમી કેરાળા ગામના નરેશભાઈ માંગરોળીયા, રામજી મંદિરના મહંત પૂજારી ગુણવંતદાસ ગોરધનદાસ તથા કમી કેરાળા સમસ્ત ગામ સહિત ગ્રુપના તમામ કાર્યકર્તાઓ દ્વારા પ્રસંગને યાદગાર બનાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.