૨ ઓક્ટોબરે ગાંધી જયંતીના અવસરે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો કાર્યક્રમ ગાંધી બાગ ખાતે યોજાયેલ હતો. આ પ્રસંગે જિલ્લા સમિતિના આગેવાનોએ પૂજ્ય બાપુના વિચારો અને મૂલ્યોને યાદ કર્યા હતા. કોંગ્રેસ પક્ષ હમેશા ગાંધી વિચારના પાયા પર રચાયેલ પક્ષ છે. આ અવસરે પૂજ્ય બાપુની પ્રતિમા પર જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ડી. કે. રૈયાણી, શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ પંડ્યા, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય ટીકુભાઈ વરૂ, રફીકભાઈ મોગલ, મુઝફ્‌ફર હુસેન સૈયદ સાહેબ, નરેશભાઈ અધ્યારૂ, જમાલભાઈ મોગલ, સંદીપ ધાનાણી, ભાવેશ પીપળીયા, પ્રહલાદ સોલંકી, અનકભાઈ, જગદીશ તળાવિયા, જગદીશ પાનસુરિયા, અશ્વિનસિંહ ગોહિલ, રમેશભાઈ ગોહિલ, જનક પંડ્‌યા, બાબુભાઇ પાણીયા, અરવિંદભાઈ સીતાપરા સહિતના કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.