પોલીસ,એટીએસ અને આઇબીની એક ટીમે ગાઝિયાબાદના મસૂરીના નાહલ ગામમાંથી છ લોકોની ધરપકડ કરી. તેમના પર રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવણીનો આરોપ છે. ધરપકડ કરાયેલા લોકોમાં શવેઝ (૨૦), જુનૈદ (૨૩), ફરદીન (૨૨), ઇકરામ (૩૬), ફઝલુ (૪૮) અને જાવેદ (૪૫)નો સમાવેશ થાય છે.
લોનીમાં યુટ્યુબર સલીમ સ્વસ્તક પર થયેલા હુમલા બાદ, પોલીસની સતર્કતા વધારી દેવામાં આવી હતી. એવું જાણવા મળ્યું હતું કે નાહલના આ છ વ્યકિતઓ  રાષ્ટ્રવિરોધી, ભડકાઉ માહિતી ફેલાવી રહ્યા હતા. આરોપીઓની મસૂરી પોલીસ સ્ટેશનમાં સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે ગામમાં ભારે પોલીસ દળ પણ તૈનાત કરવામાં આવ્યું છે. સમગ્ર કેસ પર સત્તાવાર સ્તરે નજર રાખવામાં આવી રહી છે. પોલીસ આરોપીઓના ગુનાહિત ઇતિહાસની પણ તપાસ કરી રહી છે. પોલીસ ટીમો તેમના કોલ રેકોર્ડ પર પણ કામ કરી રહી છે.આઇબીને ઇનપુટ મળ્યું છે કે આ વ્યકિતઓ લોનીના સલીમ સ્વસ્તક પર હુમલો કરનારા લોકોના સંપર્કમાં હતા.
એવો આરોપ છે કે ધરપકડ કરાયેલા તમામ વ્યકિતઓ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે સામેલ હતા. આ વ્યકિતઓ ઇન્ટરનેટ અને અન્ય માધ્યમો દ્વારા રાષ્ટ્રવિરોધી, ભડકાઉ માહિતી ફેલાવી રહ્યા હતા. તેમણે એક અલગ જૂથ પણ બનાવ્યું હતું, જેના દ્વારા તેઓ તેમની પ્રવૃત્તિઓ ચલાવતા હતા. લોની હુમલા બાદ વધેલી સતર્કતાને કારણે આ વ્યકિતઓનો પર્દાફાશ થયો.
પોલીસ અને સુરક્ષા એજન્સીઓ આ કેસમાં સંપૂર્ણ તપાસ કરી રહી છે. આરોપીઓની મસૂરી પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવી રહી છે, અને વધુ ખુલાસાઓ થવાની અપેક્ષા છે. ગામમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. અધિકારીઓ આ કેસ પર સતત નજર રાખી રહ્યા છે. પોલીસ ટીમો આરોપીઓના નેટવર્કને શોધવા માટે તેમના કોલ રેકોર્ડ અને ગુનાહિત ઇતિહાસની પણ તપાસ કરી રહી છે.