વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રસ્તાવિત મુલાકાતથી ઉત્સાહિત, તેમના ઇઝરાયલી સમકક્ષ, બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું હતું કે ભારત એક ખૂબ જ શકિતશાળી અને લોકપ્રિય દેશ છે. ઇઝરાયલ તેના સાથી દેશો સાથે તેના જાડાણને મજબૂત બનાવી રહ્યું છે. ગુરુવારે ઇઝરાયલી ડિફેન્સ ફોર્સ કેડેટ્સના પદવીદાન સમારોહમાં નેતન્યાહૂએ કહ્યું હતું કે ઇઝરાયલ દુષ્ટતા સામે નિવારક પગલાં લે છે. તેથી, તે પ્રદેશમાં જાખમોને નિષ્ક્રિય કરવા માટે સમય સમય પર જરૂર મુજબ પગલાં લેશે.
નેતાન્યાહુએ કહ્યું, “અમે અમારા સાથીઓ સાથે અમારા જાડાણોને મજબૂત કરવા માટે પણ પગલાં લઈશું.” આવતા અઠવાડિયે, એક ખૂબ જ શકિતશાળી દેશના વડા પ્રધાન ઇઝરાયલની મુલાકાત લેશે. નેતન્યાહુએ કહ્યું, “તમે ચોક્કસપણે જાણો છો કે થોડા દિવસો પહેલા હું બીજી મહત્વપૂર્ણ મુલાકાતથી પાછો ફર્યો હતો. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બીજા કાર્યકાળ માટે ચૂંટાયા પછી આ મારી સાતમી મુલાકાત હતી. ત્યાં, હું ઇઝરાયલના સૌથી નજીકના મિત્ર, યુએસ પ્રમુખ ટ્રમ્પ સાથે મળ્યો.” તેમણે દાવો કર્યો હતો કે તાજેતરમાં પ્રકાશિત યુએસ સુરક્ષા સિદ્ધાંતમાં, ઇઝરાયલ વિશ્વનો એકમાત્ર દેશ છે જેને યુએસ એક આદર્શ સાથી માને છે. નોંધનીય છે કે પીએમ મોદીની ઇઝરાયલ મુલાકાતની વૈશ્વિક સ્તરે ચર્ચા થઈ રહી છે.
નેતન્યાહુએ રવિવારે મુખ્ય અમેરિકન-યહૂદી સંગઠનોના પ્રમુખોના પરિષદને સંબોધિત કરતી વખતે વડા પ્રધાન મોદીની પ્રસ્તાવિત મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો. સભાને સંબોધતા તેમણે કહ્યું, “સંસદને સંબોધિત કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આવતા અઠવાડિયે અહીં કોણ આવી રહ્યું છે? નરેન્દ્ર મોદી.” નેતન્યાહૂએ કહ્યું, “વર્ષોથી, ઇઝરાયલ અને ભારત વચ્ચે મજબૂત જાડાણ રહ્યું છે. અમે તમામ પ્રકારના સહયોગ પર ચર્ચા કરીશું. તમે જાણો છો, ભારત કોઈ નાનો દેશ નથી. તેની વસ્તી ૧.૪ અબજ છે. ભારત ખૂબ જ શકિતશાળી અને ખૂબ જ લોકપ્રિય છે.”
વડાપ્રધાન મોદી ૨૫ ફેબ્રુઆરીએ બે દિવસની મુલાકાત માટે ઇઝરાયલ પહોંચશે. આ મુલાકાત દરમિયાન, તેઓ નેસેટ (સંસદ) ને સંબોધિત કરે તેવી અપેક્ષા છે. પીએમ મોદી નેતન્યાહૂ અને રાષ્ટÙપતિ આઇઝેક હર્ઝોગને મળશે. પીએમ મોદીની ઇઝરાયલની આ બીજી મુલાકાત હશે. પહેલી મુલાકાત જુલાઈ ૨૦૧૭ માં થઈ હતી, જે ભારતીય વડા પ્રધાન દ્વારા યહૂદી રાજ્યની પ્રથમ મુલાકાત હતી.









































