સુરેન્દ્રનગર જિલ્લાના ભૂતપૂર્વ કલેક્ટર ડા. રાજેન્દ્ર કુમાર પટેલ પર કડક પકડ જમાવ્યા બાદ, ગુજરાત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ હવે ગુજરાત જમીન વિકાસ નિગમ, આણંદના તત્કાલીન ફિલ્ડ સુપરવાઇઝર ધીરુભાઈ બાબુભાઈ શર્મા સામે કાર્યવાહી કરી છે. તપાસ બાદ, ઈડીએ  પીએમએલએ ૨૦૦૨ હેઠળ ૪.૯૨ કરોડની સંપત્તિ કામચલાઉ રીતે જપ્ત કરી છે. ગાંધીનગરમાં ઈડ્ઢ ની પ્રાદેશિક કચેરીએ કાર્યવાહીની વિગતો શેર કરી. ઈડીએ જણાવ્યું હતું કે તેમણે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ , ૨૦૦૨ ની જાગવાઈઓ હેઠળ તત્કાલીન ફિલ્ડ સુપરવાઇઝર ધીરુભાઈ બાબાભાઈ શર્માની ૪.૯૨ કરોડની સંપત્તિ કામચલાઉ રીતે જપ્ત કરી છે. જપ્ત કરાયેલી સંપત્તિઓમાં વાણિજીયક દુકાનો, રહેણાંક મકાનો, ખેતીની જમીન અને ગુજરાતના નડિયાદમાં જલાશ્રય રિસોર્ટનો સમાવેશ થાય છે.

ઈડીએ ધીરુભાઈ બાબુભાઈ શર્મા  વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ આણંદ એસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઇઆરના આધારે તપાસ શરૂ કરી હતી, જેમાં ૧ એપ્રિલ, ૨૦૦૬ થી ૩૧ માર્ચ, ૨૦૧૮ ના સમયગાળા દરમિયાન તેમના જાણીતા આવક સ્ત્રોતો કરતાં ૮.૦૪ કરોડ (૩૫૪.૫૬%) ની અપ્રમાણસર સંપત્તિ ધરાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ધીરુભાઈ બાબાભાઈ શર્મા, તેમના પરિવારના સભ્યો અને તેમની કંપની, મેસર્સ જલાશ્રય રિસોર્ટ્‌સ પ્રાઇવેટ લિમિટેડ, એ સામૂહિક રીતે સુરક્ષિત અને અસુરક્ષિત લોન લીધી હતી.

તપાસ દરમિયાન, એવું જાણવા મળ્યું કે લોન મુખ્યત્વે વિવિધ બેંક ખાતાઓમાં રોકડ ડિપોઝિટ દ્વારા ચૂકવવામાં આવી હતી. પરંપરાગત બેંકિંગ ચેનલોનો ઉપયોગ કરવાને બદલે, મોટી માત્રામાં રોકડ તેમના ખાતાઓમાં જમા કરવામાં આવી હતી અને તરત જ લોન ચુકવણી તરીકે કૃષ્ણા ફાઇનાન્સમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ પેટર્ન ક્લાસિક મની લોન્ડરિંગ તકનીકને પ્રતિબિંબિત કરે છે, જેમાં ગેરકાયદેસર ભંડોળ પહેલા રોકડ ડિપોઝિટ દ્વારા બેંકિંગ સિસ્ટમમાં લાવવામાં આવે છે અને પછી નાણાકીય જવાબદારીઓ ચૂકવવા માટે ઉપયોગમાં લેવાય છે, જેનાથી તેમના †ોત છુપાવવામાં આવે છે.

ઇડીએ જણાવ્યું છે કે કેટલાક ચુકવણીઓ બહુવિધ ખાતાઓ દ્વારા પણ કરવામાં આવી હતી, જેનાથી નાણાકીય વ્યવહારો વધુ જટિલ બન્યા છે અને ભંડોળના સાચા સ્ત્રોતને છુપાવવા માટે મની લોન્ડરિંગની શંકા ઉભી થઈ છે. જલાશ્રય રિસોર્ટ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના ૧ ફેબ્રુઆરી, ૨૦૧૨ ના રોજ ધીરુભાઈ શર્માના પુત્ર અને પત્ની દ્વારા ૨૦૦૭ માં ૫.૪૦ લાખ રૂપિયામાં ખરીદેલી ૫૨ ગુંઠા જમીન પર કરવામાં આવી હતી. રિસોર્ટને શરૂઆતમાં રૂ.૫.૫૦ કરોડની સુરક્ષિત લોન મળી હતી અને ત્યારબાદ ૨૦૧૮માં રૂ. ૭.૮૫ કરોડની લોન સાથે તેના ભંડોળમાં વધારો કર્યો. ધીરુભાઈ શર્મા અને તેમના પરિવારે ૨૦૧૫ થી ૨૦૨૦ દરમિયાન રિસોર્ટના વિકાસ માટે રૂ. ૧.૧૯ કરોડની અસુરક્ષિત લોન પણ લીધી હતી.

ઇડી અનુસાર, રિસોર્ટના વિકાસ માટે લોન, બેંક ખાતાઓમાં રોકડ જમા અને વિવિધ સૂત્રોમાંથી પ્રાપ્ત ભંડોળના સંયોજન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું, જેમાં મેસર્સ પ્રેયા સર્વિસીસના ભંડોળનો સમાવેશ થાય છે, જેમાં ધીરુભાઈ શર્માની પુત્રવધૂ ૫૦% હિસ્સો ધરાવે છે. વધુમાં, ધીરુભાઈ શર્મા પોતાના અને પોતાના પરિવારના સભ્યોના નામે એલઆઇસી અને મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી ધરાવે છે. તેમણે પ્રીમિયમ રોકડમાં ચૂકવ્યા હતા, અને આ પોલિસીઓની પાકતી મુદત પછી તેમના વ્યક્તિગત બચત ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. ઈડી અનુસાર, તપાસ હજુ પૂર્ણ થઈ નથી અને ચાલુ છે. નોંધનીય છે કે થોડા દિવસો પહેલા, ઈડીએ ગુજરાતના સુરેન્દ્રનગરના કલેક્ટરની ધરપકડ કરી હતી.