બગસરા તાલુકાના લુંઘીયા ગામે ખૂબ મોટી મિટિંગ મળી હતી. જેમાં ગામની હદમાં રહી ત્રણ ગામના સીમાડામાં અસામાજિક પ્રવૃત્તિ કરતી ગેંગને પકડવા માટે પગલા લેવા માંગ કરવામાં આવી છે. મળેલ માહિતી મુજબ થોડા દિવસો પૂર્વે બગસરા તાલુકાના લુંઘીયા ગામે રહેતા ખેડૂત રમેશભાઈ નાથાભાઈ બાવીસીયા પોતાના ખેતરે જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સો દ્વારા તેના ખેતરમાં બકરા ચરાવવા મુદ્દે ઉગ્ર બોલાચાલી બાદ બકરા ચરાવવાના ઇરાદે આવેલા જીગુડો દેવીપૂજક, અને બહાદુર દેવીપૂજકે ખેડૂત પર કુહાડીના ઘા મારી હુમલો કર્યો હતો. જોકે નસીબજોગ સમયસર સારવાર મળી જતા ખેડૂત બચી ગયો હતો પરંતુ હુમલાખોરાએ અગાઉ અનેક ખેડૂતો સાથે આવી માથાકૂટ કરેલ હોય લુંઘીયા, ભાડેર તથા મોણવેલ ગામના લોકોની મળેલી એક મિટિંગમાં ચર્ચા કરી બગસરા પોલીસને રજૂઆત કરવામાં આવી છે કે સુરેન્દ્રનગર વિસ્તારમાંથી અહીં આવી ત્રણ ગામને હેરાન કરતા આ ગેંગના સભ્યો વિરુદ્ધ અસામાજિક પ્રવૃત્તિ કરવા બદલ કડકમાં કડક કાર્યવાહી કરી સજા થાય તેવી માંગ કરેલ છે.






































