કોડીનાર તાલુકાના મોટી ફાફણી ગામે સ્થિત તન્ના પરિવારના કુળદેવી તુલજા ભવાની માતાજીના ભવ્ય મંદિરે તા. ૨૦ જૂન, ૨૦૨૫ (જેઠ વદ નોમ, શુક્રવાર) ના રોજ પ્રથમ પાટોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવશે. આ નિમિત્તે તન્ના પરિવાર દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગત વર્ષે મોટી ફાફણી ગામે તુલજા ભવાની માતાજીનું ભવ્ય મંદિર નિર્માણ પામ્યું હતું. તેના પ્રથમ પાટોત્સવ નિમિત્તે આ વર્ષે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞના આચાર્યપદે વૈષ્ણવ કથાકાર અને લોહાણા સારસ્વત ગોર શાસ્ત્રી આનંદભાઈ પેરાણી અને મેહુલભાઈ પેરાણી વ્યાસપીઠ સંભાળશે. તન્ના પરિવારના યજમાનપદે યોજાઈ રહેલા આ ધાર્મિક કાર્યક્રમમાં તમામ તન્ના પરિવારોને ઉપસ્થિત રહેવા માટે એક યાદી દ્વારા જણાવાયું છે.