વૈદિક કાળ દરમિયાન ઉદ્‌ભવેલી એક પરંપરા મુજબ મૃત શરીરના અંતિમસંસ્કાર કરાતા નહોતા, પરંતુ તેમને દફનાવાતા કે નદીમાં પધરાવાતા હતા. પુરાતિ¥વય ખોદકામ દરમિયાન આવા દફન સ્થળ પર નિશાનીરૂપે શરૂમાં એક પથ્થર મૂકેલો જોવા મળે છે અને પછી થયેલા દફનમાં ગોળાકારે મૂકેલા પથ્થરના સમૂહ જોવા મળે છે. પાછળથી આ પ્રથા વિકસી અને પથ્થરના સમૂહ જેમાં વ્યક્તિના નામ, સ્થળ અને તારીખ સાથેના શિલાલેખોમાં વિકસી. ભારતભરમાં આ પ્રથા વિકસીને વિવિધ સ્મારક જેવાં કે સ્તૂપ, સ્મારક મંદિરો વગેરેમાં પરિવર્તિત થઈ. આવાં સ્મારકો ભારતભરમાં જોવા મળે છે. જેને દક્ષિણ ભારતમાં કન્નડ ભાષામાં વીરગલ્લુ કે તામિલ ભાષામાં નડુગલ કહે છે. તેમાં મોટાભાગે વિવિધ શિલાલેખ, આકૃતિઓ પથ્થર પર કોતરવામાં આવે છે. પશ્ચિમ ભારતમાં પાળિયા અને ખાંભી જોવા મળે છે. આવા હજારો સ્મારક ગુજરાતમાં, ખાસ કરીને કચ્છ-સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. સૌથી જૂનાં બીજી સદીના સ્મારક ખાવડાનાં ઔં ધ ગામમાં જોવા મળ્યાં છે. આ પ્રથા ૧૫મી સદીમાં લોકપ્રિય બની અને મોટી સંખ્યામાં પાળિયા બનાવ્યા. કેટલોક આદિવાસી સમાજ હજુ પણ પોતાની પરંપરા મુજબ પથ્થરના આવાં સ્મારક બનાવે છે.
પાળિયો શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ પાલ, “રક્ષણ કરવું”માંથી ઉદ્‌ભવ્યો છે. ગુજરાતીમાં પાલનો અર્થ “લડતા સૈનિકોનું એક જૂથ” કે “લશ્કર” થાય છે. આ શબ્દના અન્ય સ્વરૂપ પાલિયા, પાવળિયો, પારિયો, પાળા અને પાળિયું પણ ઉપયોગમાં લેવાય છે. પાળિયા, પાળિયો કે ખાંભી એ પશ્ચિમ ભારત અને ખાસ કરી ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં જોવા મળતો સ્મારકનો એક પ્રકાર છે.
પાળિયાના પથ્થરોનો દેખાતો ભાગ આશરે બે ફૂટ પહોળો અને ત્રણ ફૂટ ઊંચો હોય છે. નીચેનો ભાગ જમીનમાં આશરે દસ ફૂટ ઊંડે સુધી મૂકેલો હોય છે. શરૂઆતના પાળિયામાં ટોચની કિનારી અર્ધવર્તુળાકાર હતી, પછીના પાળિયામાં ત્રિકોણ જોવા મળતી. કોતરકામમાં સરળતા પડતી હોવાથી મોટાભાગે રેતીયા પથ્થરોમાંથી પાળિયા બનેલા હોય છે. ક્યારેક પાળિયા પર છત્રી અને જવલ્લે મંદિર બાંધવામાં આવે છે. રાજવી કુળ સાથે સંબંધિત પાળિયા પર છત્ર બાંધવામાં આવે છે.
પાળિયા મોટાભાગે ગામ અને નગરના પાદરે બનાવેલા હોય છે. તે યુદ્ધભૂમિ કે યોદ્ધાના મૃત્યુ સ્થાન નજીક મૂકેલા હોય છે. કેટલીક વખત મંદિરો કે પૂજા સ્થળની નજીક પણ સ્થાપેલા હોય છે. ભારતભરમાં પાળિયા અનેક સ્વરૂપે જોવા મળે છે, સામાન્ય રીતે ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છમાં જોવા મળે છે.
આવા સ્મારક ત્રણ ભાગમાં હોય છે; ટોચનો ભાગ વિવિધ પ્રકારના પ્રતીક, મધ્યમાં પાળિયો જે વ્યક્તિ માટે બંધાયો છે તે વ્યક્તિ અને તળિયે લખાણમાં નામ, સ્થળ, ઘટના અને સમયની માહિતી હોય છે. ટોચ પરના પ્રતીકમાં હંમેશાં શાશ્વત કીર્તિના પ્રતીકરૂપે સૂર્ય-ચંદ્ર હોય છે. ૧૭મી સદી પછી બાંધેલા પાળિયામાં સાથિયો, દીપક અને અન્ય શણગાર કરેલા હોય છે. મધ્યમાં માનવાકૃતિ સાથે વિવિધ શસ્ત્ર, બેઠક, ઘોડા જેવાં વાહન, કપડાં અને વસ્તુ દર્શાવેલી હોય છે. સૌથી નીચેના ભાગમાં જે-તે સમયની ભાષા-શૈલીનું લખાણ હોય છે, જેમાં જે-તે વ્યક્તિ, મરણ સ્થળ, સમય અને સંજોગની માહિતી હોય છે.
પાળિયા સાથે સંબંધિત સમુદાય કે મૃતક વ્યક્તિના વંશજ ખાસ દિવસ જેવાં કે
મૃત્યુદિન કે જન્મદિન, ઘટનાની વર્ષગાંઠ, તહેવારો, કારતક, શ્રાવણ કે ભાદરવાના શુભ દિવસોએ પાળિયાની પૂજા કરે છે. આ સ્મારકોને દૂધ-પાણી વડે ધોવામાં આવે છે અને તેના પર સિંદૂર કે કંકુ લગાવી ફૂલ ચડાવાય છે. બાજુમાં તલના તેલના દીવા મુકાય છે. ઘણી વાર તેના પર ધજા પણ ચડાવવામાં આવે છે.
છતરડી, ભુજ, કચ્છમાં આવેલા ૪ પાળિયા પૈકી ૩ સ્ત્રીઓને અને ૧ પુરુષને સમર્પિત છે. પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં પણ પાળિયા જોવા મળે છે. જે મોટે ભાગે કોઈના રક્ષણ માટે લડતાં મૃત્યુ પામેલી વ્યક્તિની યાદમાં હોય છે. પથ્થરનાં આ સ્મારકો પર પ્રતીક અને લેખ હોય છે. આ સ્મારકો યોદ્ધા, ખલાસી, સતી, પ્રાણી અને તેની સાથે સંકળાયેલી લોકકથા અંગેના હોય છે. પાળિયા લોકજીવન અને શિલાલેખોના અભ્યાસ માટે અતિ મહ¥વના બની રહે છે. ત્રણ ભાગમાં ટોચ પર સૂર્ય અને ચંદ્ર, મધ્યમાં ઘોડા પર બેઠેલો યોદ્ધા, તળિયે શિલાલેખ સમય, સ્થળ અને નામ હોય છે. છતરડી, ભુજમાં આવેલો આ પાળિયો યુદ્ધમાં મૃત્યુ પામેલા યોદ્ધાને સમર્પિત છે. (ક્રમશઃ)