આરએસએસના સર્વેમાં મહાયુતિને ૧૬૦ બેઠકો મળવાનો દાવો કરવામાં આવ્યો
(એ.આર.એલ),મુંબઈ,તા.૨૪
વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મહાયુતિના ઘટક પક્ષોએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. મહાવિકાસ અઘાડીમાં સીટ શેર પર બાધા આવી છે. શિવસેના યુબીટીએ પણ તેના ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી છે. આ દરમિયાન રાષ્ટય સ્વયંસેવક સંઘનો આંતરિક સર્વે બહાર આવ્યો છે જેમાં મહાયુતિને ૧૬૦ બેઠકો મળવાનો દાવો કરવામાં આવ્યો છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ભાજપ-શિવસેના-એનસીપીનું ભગવા ગઠબંધન લોકસભા ચૂંટણીમાં મળેલા આંચકામાંથી બહાર આવ્યું છે અને વિધાનસભા ચૂંટણીમાં મોટી જીત નોંધાવશે.આરએસએસ સાથે જાડાયેલા એક વ્યક્તનું કહેવું છે કે વાતાવરણ જાણવા માટે ચૂંટણી પહેલા સંઘ ગુપ્ત રીતે આંતરિક સર્વે કરાવે છે. તે સર્વે રિપોર્ટના આધારે ભાજપની ચૂંટણીની રણનીતિ બનાવવામાં આવે છે અને વસ્તીને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે. ઓક્ટોબરના બીજા સપ્તાહમાં સંઘે તેની ચેનલ દ્વારા મહારાષ્ટની તમામ ૨૮૮ સીટો પર સર્વે કર્યો હતો.તે સર્વે મુજબ મહાયુતિ ૧૬૦ સીટો જીતવા તરફ આગળ વધી રહી છે. જેમાં ભાજપને ૯૦થી ૯૫ બેઠકો, શિંદેની શિવસેનાને ૪૦થી ૫૦ બેઠકો અને અજિત પવારની એનસીપીને ૨૫થી ૩૦ બેઠકો મળી શકે છે. સર્વેમાં એવા મતદારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું જેઓ ભાજપથી અસંતુષ્ટ હતા અને લોકસભા ચૂંટણીમાં વિપક્ષી ભારતીય ગઠબંધનને મત આપ્યો હતો. જા કે હવે એ જાવાનું રસપ્રદ રહેશે કે આ સર્વેની આગાહી સાચી સાબિત થાય છે કે પછી ચૂંટણી મેદાનમાં નવો વળાંક આવે છે.