પૃથ્વી પર પાછા ફરતી વખતે, અવકાશયાનને લગભગ ૧,૬૦૦ ડિગ્રી સેલ્સીયસ તાપમાનનો સામનો કરવો પડશે.
શુભાંશુ શુક્લા આઇએસએસ થી પૃથ્વી પર પરતઃ આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં ૧૮ દિવસ વિતાવ્યા પછી, ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા સોમવારે પૃથ્વી પર પરત ફરવા માટે રવાના થશે. શુક્લા રાકેશ શર્મા (૧૯૮૪) પછી અવકાશમાં મુસાફરી કરનાર બીજા ભારતીય અવકાશયાત્રી છે. એકસીઓમ સ્પેસએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “પૃથ્વી પર ૨૨.૫ કલાકની મુસાફરી પછી, ક્રૂ સવારે ૪:૩૧ વાગ્યે (મંગળવાર ભારતીય સમય મુજબ બપોરે ૩:૦૧ વાગ્યે) કેલિફોર્નિયા કિનારે ઉતરશે તેવી અપેક્ષા છે.”
ડ્રેગન અવકાશયાનને આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી અલગ કરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે સ્વચાલિત હશે. અનડોક કર્યા પછી, ડ્રેગન એન્જીન જરૂરી ઉર્જા માટે કેટલીક પ્રક્રિયાઓમાંથી પસાર થશે જેથી તે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી સુરક્ષિત રીતે દૂર થઈ શકે અને પૃથ્વી પર પ્રવેશની પ્રક્રિયા શરૂ કરી શકે.
પૃથ્વી પર પાછા ફરતી વખતે, અવકાશયાનને લગભગ ૧,૬૦૦ ડિગ્રી સેલ્સીયસ તાપમાનનો સામનો કરવો પડશે. પેરાશૂટ બે તબક્કામાં કામ કરશે. પ્રથમ તબક્કામાં, સ્થિરીકરણ પેરાશૂટ લગભગ ૫.૭ કિલોમીટરની ઊંચાઈએ કામ કરશે અને પછી બીજા તબક્કામાં, મુખ્ય પેરાશૂટ લગભગ બે કિલોમીટરની ઊંચાઈએ કામ કરશે. ‘અનડોકિંગ’ પછી લગભગ ૨૨.૫ કલાક પછી અવકાશયાન કેલિફોર્નિયાના દરિયાકાંઠે ઉતરશે તેવી અપેક્ષા છે અને અવકાશ કેપ્સ્યુલને ખાસ જહાજ દ્વારા પાછું લાવવામાં આવશે.
અભિયાનના ૭૩ અવકાશયાત્રીઓએ એકસીઓમ-૪ મિશનના ક્રૂ માટે પરંપરાગત વિદાય સમારંભનું આયોજન કર્યું હતું, જેમાં શુક્લા, કમાન્ડર પેગી વ્હિટસન અને મિશન નિષ્ણાતો પોલેન્ડના સ્લેવોજ ઉઝનાન્સ્કી-વિસ્નીવસ્કી અને હંગેરીના ટિબોર કાપુનો સમાવેશ થાય છે. ભારત, પોલેન્ડ અને હંગેરી ચાર દાયકાથી વધુ સમય પછી એકસીઓમ-૪ મિશન દ્વારા અવકાશમાં પાછા ફર્યા છે. શુક્લાએ રવિવારે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ખાતે વિદાય સમારંભમાં કહ્યું, “પૃથ્વી પર જલ્દી મળીશું.”
શુક્લાએ તે સમયને યાદ કર્યો જ્યારે તેમના આદર્શ રાકેશ શર્મા ૪૧ વર્ષ પહેલાં અવકાશ યાત્રા પર ગયા હતા અને જણાવ્યું હતું કે ત્યાંથી ભારત કેવું દેખાતું હતું. શુક્લાએ કહ્યું, “આપણે બધા આજે પણ ઉપરથી ભારત કેવું દેખાય છે તે જાણવા માટે ઉત્સુક છીએ. આજનો ભારત મહત્વાકાંક્ષી દેખાય છે. આજનો ભારત નિર્ભય દેખાય છે, આજનો ભારત આત્મવિશ્વાસપૂર્ણ દેખાય છે. આજનો ભારત ગર્વ અનુભવે છે.” તેમણે કહ્યું, “આ બધા કારણોસર, હું ફરી એકવાર કહી શકું છું કે આજનો ભારત હજુ પણ ‘સારે જહાં સે અચ્છા’ દેખાય છે.”
શુક્લાએ કહ્યું, ‘’મેં ૨૫ જૂને ફાલ્કન-૯ પર ઉડાન ભરી ત્યારે આની કલ્પના પણ નહોતી કરી. મને લાગે છે કે તેમાં સામેલ લોકો (એક્સપીડિશન ૭૩ ક્રૂ) ને કારણે તે અવિશ્વસનીય બન્યું છે. હું અહીં આવીને તમારા જેવા વ્યાવસાયિકો સાથે કામ કરીને ખૂબ ખુશ છું.’’
અવકાશયાત્રીઓને પૃથ્વીના વાતાવરણમાં પાછા ફરવા માટે પુનર્વસનમાં લગભગ સાત દિવસ પસાર કરવા પડશે. અવકાશયાત્રીઓને અવકાશ મથક પર વજનહીનતાની વિરુદ્ધ પૃથ્વીના ગુરુત્વાકર્ષણના પ્રભાવ હેઠળ જીવનમાં સમાયોજિત થવું પડશે. તે એક શુક્લાની ઐતિહાસિક યાત્રા, જે આઇએસએસની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય બન્યા છે.