તેજપ્રતાપ યાદવ ઘર અને પરિવાર બંનેથી અલગ થયા પછી, લાલુના મોટા દીકરાએ ફરી એકવાર ભાવનાત્મક પોસ્ટ લખી છે. તેજ પ્રતાપ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર લખ્યું, ‘જે લોકો મને મારા અર્જુનથી અલગ કરવાનું સ્વપ્ન જુએ છે, તમે ક્યારેય તમારા ષડયંત્રમાં સફળ થશો નહીં.’
તેજ પ્રતાપ યાદવે આગળ લખ્યું, ‘તમે કૃષ્ણની સેના લઈ શકો છો પણ કૃષ્ણને નહીં. હું ટૂંક સમયમાં દરેક ષડયંત્રનો પર્દાફાશ કરીશ. બસ વિશ્વાસ રાખો ભાઈ, હું દરેક પરિસ્થિતિમાં તમારી સાથે છું. હું અત્યારે દૂર છું, પણ મારા આશીર્વાદ હંમેશા તમારી સાથે હતા અને રહેશે. મારા ભાઈ (તેજશ્વી યાદવ) મમ્મી-પપ્પાનું ધ્યાન રાખજા. જયચંદ દરેક જગ્યાએ છે. અંદર અને બહાર બંને.’