યમુનાના પાણીમાં ઝેર ભેળવવાના હરિયાણા સરકાર પર આપ કન્વીનર અરવિંદ કેજરીવાલ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને લઈને ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે શાબ્દીક હુમલાઓ વધુ તીવ્ર બન્યા છે. હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈનીએ કેજરીવાલ પાસેથી માફી માંગવાની માંગ કરી છે અને કહ્યું છે કે જા તેઓ તેમના નિવેદન માટે માફી નહીં માંગે તો તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવશે. આપના આરોપો પર ચૂંટણી પંચે સૈની સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. સૈની સરકાર ચૂંટણી પંચ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરશે. કેજરીવાલે હરિયાણા સરકાર પર યમુનામાં ઝેર ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો અને તેને સામૂહિક નરસંહારનું કાવતરું ગણાવ્યું હતું. જાકે, દિલ્હી જળ બોર્ડે કેજરીવાલના દાવાને ફગાવી દીધો છે.
વાસ્તવમાં, દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આપ નેતા કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે ભાજપ ગંદી રાજનીતિ કરીને દિલ્હીના લોકોને તરસ્યા રાખવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું, “હરિયાણામાં ભાજપના લોકો યમુના નદીના પાણીમાં ઝેર ભેળવીને દિલ્હી મોકલી રહ્યા છે. જા દિલ્હીના લોકો આ પાણી પીશે તો ઘણા લોકો મરી જશે. આનાથી વધુ ઘૃણાસ્પદ કંઈ હોઈ શકે?” કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી આતિશીના આરોપ પર ટિપ્પણી કરી રહ્યા હતા કે હરિયાણા સરકાર જાણી જાઈને ઔદ્યોગિક કચરો યમુનામાં ફેંકી રહી છે, જ્યાંથી રાષ્ટ્રીય રાજધાની તેનું પાણી મેળવે છે.
કેજરીવાલના આરોપો પર, ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું, “હરિયાણા સરકાર ચોક્કસપણે કેજરીવાલને કોર્ટમાં લઈ જશે. અમે તેમની અને તેમની પાર્ટી વિરુદ્ધ ચૂંટણી પંચનો પણ સંપર્ક કરીશું.” આ દરમિયાન, હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈનીએ કેજરીવાલની ટીકા કરતા કહ્યું કે પાયાવિહોણા આરોપો લગાવવા અને બીજા પર દોષારોપણ કરવાની તેમની આદત છે. તમને જણાવી દઈએ કે સોમવારે ચૂંટણી પંચે પાણી પુરવઠામાં એમોનિયાના સ્તર અંગે આતિશી દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર હરિયાણા પાસેથી તથ્યપૂર્ણ અહેવાલ માંગ્યો હતો.
તમને જણાવી દઈએ કે દિલ્હી વિધાનસભા ચૂંટણી હેઠળ, ૫ ફેબ્રુઆરીએ તમામ ૭૦ વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે. ચૂંટણી પરિણામો ૮ ફેબ્રુઆરીએ જાહેર થશે અને ત્યારબાદ જ ખબર પડશે કે આ વખતે દિલ્હીના મુખ્યમંત્રી પદના સિંહાસન પર કયા પક્ષના નેતા બેસશે. આ પહેલા, કોઈપણ રાજકીય પક્ષ કોઈ કસર છોડવા માંગતો નથી.