સુરતમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાએ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં રૂરલ સ્ટડીઝ વિષયમાં પીએચ.ડીની પરીક્ષા આપી હતી. જેમાં પ્રફુલ્લ પાનસેરિયાએ ૨૦૦માંથી ૧૨૮ ગુણ મેળવ્યા હતા અને પીએચ.ડી માટે ક્વોલિફાય થયા છે. કુલ ૭૪૬માંથી ૩૩૦ ઉમેદવારો પીએચ.ડીની પ્રવેશ પરીક્ષામાં ક્વોલિફાય થયા હતા.