સુપ્રીમ કોર્ટે સોમવારે મહિલા અનામત કાયદા (૩૩%) ના સીધા અમલીકરણની માંગ કરતી અરજીની સુનાવણી કરી. વર્તમાન કાયદા અનુસાર, આ અનામત ફક્ત સીમાંકન પ્રક્રિયા પછી જ લાગુ કરવામાં આવશે, જે હજુ સુધી શરૂ થઈ નથી. આ કેસની સુનાવણી ન્યાયાધીશ બી.વી. નાગરત્ના અને આર. મહાદેવનની બેન્ચ દ્વારા કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે સરકારને નોટિસ જારી કરી છે.અરજદારના વકીલે દલીલ કરી હતી કે સરકારે મહિલાઓને ૩૩% અનામત આપી છે, પરંતુ તેને એવી પ્રક્રિયા સાથે જાડી દીધી છે જે હજુ સુધી જાણીતી નથી કે તે ક્્યારે શરૂ થશે. તેમણે જણાવ્યું હતું કે વસ્તી ગણતરી પણ શરૂ થઈ નથી, જ્યારે સીમાંકન તે પછી જ થાય છે. કાયદો ઘડવામાં આવ્યો હોવાથી, તેના અમલીકરણ પર આવી અનિશ્ચિત શરતો લાદવી જાઈએ નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોઈ તાર્કિક આધાર નથી, અને તે ક્્યારે શરૂ થશે કે સમાપ્ત થશે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.જસ્ટીસ નાગરત્નાએ જણાવ્યું હતું કે કાયદો ક્્યારે લાગુ કરવો તે નક્કી કરવાની જવાબદારી સરકારની (એક્ઝીક્યુટિવ) છે. અમે ફક્ત ત્યારે જ પૂછી શકીએ છીએ જ્યારે તેઓ તેનો અમલ કરવાનો પ્રસ્તાવ મૂકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે સરકાર તેને વૈજ્ઞાનિક ડેટા પર આધારિત બનાવવા માંગી શકે છે.વકીલે વળતો જવાબ આપ્યો હતો કે સરકારે ૩૩% અનામત લાગુ કરી હોવાથી, એવું માની લેવું જાઈએ કે તેમની પાસે પહેલાથી જ વૈજ્ઞાનિક ડેટા છે. સુપ્રીમ કોર્ટે સરકારને નોટિસ ફટકારી છે. આગામી સુનાવણીમાં, સરકારે મહિલા અનામત લાગુ કરવા માટેની સમયમર્યાદા અંગે પોતાનો હેતુ સ્પષ્ટ કરવો પડશે.








































