સીરિયા અને ઇઝરાયલ વચ્ચે શનિવારે વહેલી સવારે એક મહત્વપૂર્ણ યુદ્ધવિરામ કરાર થયો છે. આ કરારની જાહેરાત યુએસ એમ્બેસેડર ટોમ બેરેક દ્વારા કરવામાં આવી હતી. દક્ષિણ સીરિયાના સુવૈદા પ્રાંતમાં લઘુમતી અને બેદુઈન જાતિઓ વચ્ચે ચાલી રહેલી હિંસક અથડામણો પછી આ કરાર થયો છે. અહેવાલો અનુસાર, આ અથડામણોમાં સેંકડો લોકો માર્યા ગયા હતા અને હજારો લોકો બેઘર બન્યા હતા. આ કરારને તુર્કી, જાર્ડન અને અન્ય પડોશી દેશોનો ટેકો છે, જેનાથી આ ક્ષેત્રમાં શાંતિ અને પ્રગતિની આશા જાગી છે.
ટોમ બેરેકે સોશિયલ પ્લેટફોર્મ એકસ પરના પોતાના નિવેદનમાં કહ્યું, બેદુઈન અને સુન્ની સમુદાયોને તેમના શસ્ત્રો છોડી દેવા અને અન્ય લઘુમતીઓ સાથે જાડાઈને એક નવું, સંયુક્ત સીરિયા બનાવવા માટે અપીલ કરવામાં આવે છે, જે તેના પડોશીઓ સાથે શાંતિ અને સમૃદ્ધિમાં રહે છે.’ જાકે, તેમણે કરારની વિગતોનો ઉલ્લેખ કર્યો નથી. તમને જણાવી દઈએ કે રવિવારથી સુવેદામાં મિલિશિયા અને સ્થાનિક સુન્ની બેદુઈન જાતિઓ વચ્ચે અથડામણ ચાલી રહી હતી, ત્યારબાદ શાંતિ પુનઃસ્થાપિત કરવાના નામે સીરિયન સેના તેમાં કૂદી પડી હતી, પરંતુ તે બેદુઈન જૂથોને ટેકો આપતી જાવા મળી હતી. જવાબમાં, ઇઝરાયલે સમુદાયના રક્ષણ માટે સીરિયન સેના પર હવાઈ હુમલો કર્યો.
તમને જણાવી દઈએ કે ઇઝરાયલમાં સમુદાયને વફાદાર લઘુમતી માનવામાં આવે છે, જે ઘણીવાર ત્યાંની સેનામાં મોટી સંખ્યામાં સામેલ થાય છે. અથડામણમાં સેંકડો લોકો માર્યા ગયા હતા, અને સરકારી દળો પર નાગરિકોના ઘરો મારવા, લૂંટ ચલાવવા અને બાળી નાખવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, રવિવારથી લગભગ ૮૦,૦૦૦ લોકો વિસ્થાપિત થયા છે. સુવેદામાં પાણી, વીજળી અને સંદેશાવ્યવહાર સેવાઓ બંધ છે, જ્યારે આરોગ્ય સેવાઓ ભારે દબાણ હેઠળ છે. બુધવારે, અમેરિકા, તુર્કી અને આરબ દેશોની મધ્યસ્થીથી એક કરાર થયો હતો, જે હેઠળ ડ‰ઝ સમુદાય અને તેમના ધાર્મિક નેતાઓએ સુવાયદામાં આંતરિક સુરક્ષા સંભાળવાની હતી અને સરકારી દળો પાછા હટી જશે. પરંતુ ગુરુવારે મોડી રાત્રે અને બેદુઈન જૂથો વચ્ચે ફરીથી અથડામણ થઈ હતી.