સાવરકુંડલામાં રઘુવંશી સમાજ માટે આયોજિત “રઘુકુળ નવરાત્રી મહોત્સવ”ના આયોજકોનું સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં લોહાણા મહાપરિષદના કારોબારી સભ્ય અને રઘુવંશી સમાજના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિ નોંધપાત્ર રહી. સંસ્થાના પ્રમુખ હિતેશભાઈ સરૈયા અને ઉપપ્રમુખ જસાભાઈ સરૈયાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. સન્માન કરનારાઓમાં લોહાણા મહાપરિષદના કારોબારી સભ્ય અષ્ટકાંતભાઈ સૂચક, અમરેલી પીપલ્સ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના ઉપપ્રમુખ શ્યામભાઈ રૂપારેલ, પત્રકાર દીપકભાઈ પાંધી, ઓઇલ મિલર હર્ષભાઈ રૂપારેલ અને અન્ય અગ્રણીઓનો સમાવેશ થતો હતો. આયોજકોને શાલ અને પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા અને તેમના સફળ આયોજન બદલ અભિનંદન પાઠવ્યાં.