સાવરકુંડલા શહેરની મધ્યમાં આવેલા શિવાજીનગર પટેલ વાડી ખાતે આજે રાત્રે ૮ઃ૦૦ કલાકે શ્રીહનુમાન ચાલીસા ના પાઠ અને હનુમાન ચરિત્ર સભા યોજાશે. જેના વક્તા તરીકે અથાણાવાળા હરીપ્રકાશદાસજી સ્વામી સારંગપુરધામ બિરાજશે. સમગ્ર સાવરકુંડલા તાલુકામાંથી મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.