સાવરકુંડલામાંથી એક યુવકનો મોબાઈલ ચોરાયો હતો. જેને લઈ ઈલીયાસભાઈ અબેદબીન શેખ (ઉ.વ.૪૨)એ અજાણ્યા ચોર ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ અઠવાડિયા પહેલા મેઇન બજારમાં ખરીદી કરવા ગયા હતા. જે બાદ ખિસ્સા ચેક કરતાં ફોન જોવા મળ્યો નહોતો. પોલીસ ચોપડે ફોનની કિંમત ૨૩,૯૯૯ રૂપિયા જાહેર થઈ હતી.