સાવરકુંડલામાં રહેતા બાંધકામનો ધંધો કરતા મનજીભાઈ માવજીભાઈ મકવાણા (ઉ.વ.૫૫)એ કચ્છના રાપર તાલુકામાં લાખાગઢ ગામે રહેતા નાગદાન આહીર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપી યુ-ટ્યુબમાં પોતાની ‘વાગડનો વડીલ’ નામની ચેનલમાં અવાર-નવાર દલિત સમાજ વિરોધી વીડિયો બનાવી અપલોડ કરતો હતો. જેથી તેમણે આરોપીને ફોન કરી દલિત સમાજ વિરોધી વીડિયો કેમ તમારી યુ-ટયુબ ચેનલમાં મૂકો છો તેમ કહેતા સારું નહોતું લાગ્યું અને ફોન ઉપર ડો.બાબા સાહેબ આંબેડકર વિશે અભદ્ર ટીકા-ટીપ્પણી કરી હતી. અમરેલી એસસી એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક પી. આર. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.