સુદાનના દુષ્કાળગ્રસ્ત ઉત્તર દારફુર પ્રદેશમાં આવશ્યક ખાદ્યાન્ન લઈ જતા યુએન ટ્રકો પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં, ૧૬ ટ્રકોમાં આગ લાગી ગઈ. યુએનના બધા વાહનો નાશ પામ્યા. યુએનના સહયોગી પ્રવક્તા ડેનિયલા ગ્રોસે જણાવ્યું હતું કે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના કાફલા સાથે મુસાફરી કરી રહેલા તમામ ડ્રાઇવરો અને સ્ટાફ સુરક્ષિત છે.
ગ્રોસે જણાવ્યું હતું કે બુધવારના હુમલા માટે કોણ જવાબદાર છે તે હજુ સુધી સ્પષ્ટ નથી. છેલ્લા ત્રણ મહિનામાં આ બીજા હુમલો હતો જે યુએન કાફલાને ઉત્તર દારફુર પહોંચતા અટકાવી રહ્યો હતો.
જૂનની શરૂઆતમાં, ઉત્તર દારફુરની ઘેરાયેલી રાજધાની અલ-ફાશેર જવા માટે મંજૂરીની રાહ જાઈ રહેલા વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ અને યુનિસેફના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં પાંચ લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.
સુદાન એપ્રિલ ૨૦૨૩ થી સંઘર્ષની સ્થિતિમાં છે. જ્યારે તેના લશ્કરી અને અર્ધલશ્કરી નેતાઓ વચ્ચે લાંબા સમયથી ચાલતા તણાવને કારણે હિંસા રાજધાની ખાર્તુમમાં ફાટી નીકળી હતી અને પશ્ચિમ દારફુર સહિત અન્ય વિસ્તારોમાં ફેલાઈ ગઈ હતી.
યુએન એજન્સીઓનું કહેવું છે કે અત્યાર સુધીમાં લગભગ ૪૦,૦૦૦ લોકો માર્યા ગયા છે. લગભગ ૧.૩ કરોડ લોકો વિસ્થાપિત થયા છે. ગ્રોસે કહ્યું કે લગભગ ૨.૫ કરોડ લોકો ગંભીર ભૂખમરાનો સામનો કરી રહ્યા છે.
અર્ધ-સૈનિક રેપિડ સપોર્ટ ફોર્સિસ અને તેમના સાથીઓએ જૂનના અંતમાં જાહેરાત કરી હતી કે તેમણે તેમના નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં, મુખ્યત્વે વિશાળ દારફર ક્ષેત્રમાં, સમાંતર સરકાર બનાવી છે. જ્યાં યુદ્ધ ગુનાઓ અને માનવતા વિરુદ્ધ ગુનાઓના આરોપોની તપાસ કરવામાં આવી રહી છે.
આરએસએફે અલ-ફાશેરને ઘેરી લીધું છે. જ્યાં યુએન કહે છે કે લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. તે દારફરમાં એકમાત્ર રાજધાની છે, જે પાંચ રાજ્યોથી બનેલી છે, જે અર્ધ-સૈનિક દળો દ્વારા કબજે કરવામાં આવી નથી. એક વર્ષ કરતાં વધુ સમય પહેલા ઉત્તરી દારફરમાં ઝમઝમ વિસ્થાપન શિબિરમાં દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો હતો. યુએન કહે છે કે દુષ્કાળનો ભય ત્યારથી દારફર અને કોર્ડોફાન ક્ષેત્રમાં ૧૭ વિસ્તારોમાં ફેલાઈ ગયો છે, જે ઉત્તરી દારફરની સરહદે છે અને ખાર્તુમની પશ્ચિમમાં છે.