આજે આપણે સૌ કહીએ છીએ કે ભારતને વિશ્વગુરુ બનાવવો છે. ભારતને શ્રેષ્ઠ બનાવવો છે. આપણા હિન્દુસ્તાનને વિશ્વની મહાસત્તા ઉપર લઈ જવા માટે આપણે અવારનવાર કોઈને સલાહના પોટલા બાંધી આપીએ છીએ પરંતુ મારે મન વાસ્તવિકતા તો એ છે કે ; ભારત પ્રાચીન સમયમાં શ્રેષ્ઠ હતું.., આજે પણ છે.., અને આવનાર સમયમાં વધુ શ્રેષ્ઠ બનશે જ. કારણ કે, આ ધરાની માટીની તાસીર જ છે રત્ન પેદા કરવાની તો કોલસો શા માટે પ્રાપ્ત થાય?
અંગ્રેજ શાસન બાદ આજ સુધી આપણે શિક્ષણમાં નબળાઈની વાતો જ ભણી છે. આજ સુધી આપણા બાળકો..,ભારતના યુવાનો રાક્ષસ જ શ્રેષ્ઠ છે તેવું ભણ્યા છે…, તો દેવો શ્રેષ્ઠ છે તેવું માનશે જ કઈ રીતે…? જરૂર છે આજે ભારતને આધ્યાત્મિકતાની. ભારતનું શિક્ષણ એ વૈદિક પરંપરાગત હોવું જોઈએ.
ભારતનું શિક્ષણ એ સંસ્કૃતિનું શિક્ષણ હોવું જોઈએ. ભારતનું શિક્ષણ એ પ્રકૃતિનું શિક્ષણ હોવું જોઈએ. ભારતનું શિક્ષણ એ વેદ અને શાસ્ત્રોનું શિક્ષણ હોવું જોઈએ. જેમ પ્રાચીન ભારતનું શિક્ષણ હતું તેમ જ આધુનિકતાની સાથે આધ્યાત્મિકતાનું શિક્ષણ ભારતમાં ભણાવવામાં આવે તો ભારત એ વિશ્વ માટે શ્રેષ્ઠ ઉદાહરણ બની વિશ્વગુરુ બની શકશે અને સદા માટે વિશ્વનું કલ્યાણ થાય તેવા માર્ગે ચાલશે.
શ્રેઠ ભારતનું શિક્ષણ કેવું હોય…, કે જ્યાં; અખંડ હિન્દુસ્તાનનો બાદશાહ અકબરને નહીં પણ શૌર્ય અને હિન્દુસ્તાનની શાન મહારાણા પ્રતાપને ભણાવવામાં આવતા હોય. અને તાર્કિક રીતે જોવા જઈએ તો અકબર હિન્દુસ્તાનનો બાદશાહ હતો જ નહીં કારણ કે, એક હિન્દના યોદ્ધા મહારાણા પ્રતાપને જે હરાવી ના શકે તે સમગ્ર હિન્દુસ્તાનને હરાવી ના જ શકે…, કારણ કે, આ ધીંગી ધરા શૂરવીરોને પેદા કરનાર ધરા છે. શ્રેષ્ઠ ભારતના શિક્ષણમાં પ્રેમની કહાની…,પ્રેમની નિશાની.., અને પ્રેમનું ઉદાહરણ એ શાહજહાએ બંધાવેલ તાજમહેલ નહીં.., પણ ધર્મપ્રેમ માટે લડનાર શ્રી રામે બાંધેલ શ્રીલંકા સુધીનો રામસેતુ ભણાવવામાં આવતો હોય. શ્રેઠ ભારતના શિક્ષણમાં દેવોના દેવ મહાદેવ એવા ભારતના સોમનાથ મહાદેવનું જ્યોતિ‹લગ મહમદ ગઝનવીએ તોડ્યું તે નહીં…,પરંતુ આ સોમનાથ મંદિરનો જીર્ણોદ્વાર કેટલી વખત કરવામાં આવ્યો અને એક સમયનું ભારતનું શ્રેષ્ઠ મંદિર હતું.., તે ભણાવવામાં આવતું હોય. શ્રેષ્ઠ ભારતના શિક્ષણમાં અંગ્રેજીને નહીં પરંતુ સંસ્કૃતને પ્રાથમિકતા અપાતી હોય. શ્રેષ્ઠ ભારતના શિક્ષમાં ડર નહીં પણ નીડરતા ભણાવવામાં આવતી હોય. શ્રેષ્ઠ ભારતના શિક્ષણમાં મુઘલ સામ્રાજ્ય નહીં પરંતુ છત્રપતિ શિવાજી મહારાજનું જીવન ચરિત્ર ભણાવવામાં આવતું હોય. શ્રેષ્ઠ ભારતના શિક્ષણમાં માત્ર હાથ જોડવાનું નહીં પરંતુ અધર્મી ઉપર હાથ ઉપાડવાનું પણ શીખવવામાં આવતું હોય.શ્રેષ્ઠ ભારતના શિક્ષણમાં માત્ર ગાય માતા છે એવું જ નહીં પરંતુ ગાય માતાની રક્ષા માટે પણ વિશેષ ભણાવવામાં આવતું હોય. શ્રેષ્ઠ ભારતના શિક્ષણમા’ક’- કલમનો ‘ક’, ‘ખ’ – ખટારાનો ‘ખ’, ‘ગ‘- ગધેડાનો ‘ગ ‘ નહીં પરંતુ ‘ક’- કર્મ નો ‘ક’, ‘ખ’-ખુમારીનો ‘ખ ‘, ‘ગ‘-ગણપતિનો ‘ગ‘ શીખવવામાં આવતો હોય તે એક શ્રેષ્ઠ ભારતનું અને વિશ્વગુરુ ભારતનું શિક્ષણ હોવું જોઈએ.
આ આપણું શ્રેષ્ઠ ભારત બનાવવા માટેનું ઉત્તમ શિક્ષણ છે. પ્રથમ શિક્ષણમાં આ રીતે બદલાવ આવશે તો યુવાનો,બાળકો આપોઆપ સંસ્કૃતિ-પ્રકૃતિ પ્રેમી બનશે. અને સંસ્કૃતિ-પ્રકૃતિને પ્રેમ કરનાર યુવાન ક્યારેય ઉર્જાહીન હોઈ જ ના શકે. શ્રેષ્ઠ યુવાધન પેદા કરવા માટે પ્રથમ શિક્ષણમાં બદલાવ અત્યંત જરૂરી છે. સાચું ભણવાથી માણસ સૂર્યના તાપની જેમ તપશે. જેના અજવાળાથી કેટલાય ગ્રહો અને ચંદ્ર પણ પ્રકાશિત થાય છે. વિશ્વના કલ્યાણ માટે ભારતના યુવાનો શ્રેષ્ઠ છે. પરંતુ વધુ શ્રેષ્ઠ બની-બનાવીને વિશ્વગુરુ ભારત ફરીવાર પ્રાચીન સમયની માફક ‘સોને કી ચીડિયા’ બની શકશે.
શ્રેષ્ઠ ભારત બનાવવા માટે અત્યંત જરૂરી છે યુવાનોમા તાર્કિક-વૈચારિક શક્તિને ખીલવવી. અત્યંત જરૂરી છે… યુવાનોને ઊર્જાવાન અને નીડર બનાવવા, અત્યંત જરૂરી છે… સનાતન સંસ્કૃતિને અપનાવી અને વિશ્વમાં શાંતિ સ્થાપવી, અત્યંત જરૂરી છે… ધર્મનો ફેલાવો કરવો અને અધર્મનો નાશ કરવો. આ સર્વ કાયમી માટે પ્રકાશિત કરવા માટે પ્રથમ ભારતની શિક્ષણ પધ્ધતી એ સંસ્કૃતિ પ્રેમી અને પ્રકૃતિ પ્રેમી હોવી જોઇએ. આવો આપણે સૌ સાથે મળીને શ્રેષ્ઠ ભારત, એક ભારત, વિશ્વગુરુ ભારત બનાવવા માટે આપણું યોગદાન આપીએ.
વંદે માતરમ્.
bhayanijr5126@gmail.com