ઘઉંમા ઉધઈ નિયંત્રણ (બીજ માવજત:
• ૧૦૦ કિ.ગ્રા.બિયારણ દીઠ બાયફેન્થ્રીન ૧૦% ઈસી.ર૦૦ મીલી દવાને પાંચ લીટર પાણીમાં ઓગાળી આગળની રાત્રે સારી રીતે પટ આપી ખુલ્લામાં સૂકવીને બીજા દિવસે વાવેતર કરવું.
• પિયત ઘઉંમા નિંદામણના રાસાયણીક નિયંત્રણ માટે પેન્ડીમિથેલીન (સ્ટોમ્પ) દવાને પ્રતિ હેકટરે ૧ કિલો સક્રિય તત્વ ૬૦૦ લીટર પાણીમાં ઓગાળી વાવણી બાદ તુરતજ (ઘઉં ઉગ્યા પહેલા) છંટકાવ કરવો.
જાતની પસંદગી: વાવણીના સમયને અનુરૂપ ભલામણ કરેલ ઘઉંની જાતો અને બિયારણનો દર
બિન પિયત ઘઉં માટે જી ડબલ્યુ૧ લ૨ અથવા ૩ વાવી શકાય ખાતરઃમધ્યમ કાળી ચુનાયુક્ત જમીન માટે ૬૫ કિલો યુરીયા પાક ૩૫ થી ૪૦ દિવસનો થાય ત્યારે આપવું.
કપાસ: મેગ્નેશીયમ ખામીને કારણે કપાસમાં લાલ પર્ણ દેખાય તો મેગ્નેશીયમ સલ્ફેટ નું ૧ ટકાના દ્રાવણનો છંટકાવ ખામી દેખાય ત્યારે કરવો પછી બીજો છંટકાવ ૧૫ દિવસે કરવો.
રાયડો: ચુસીયા પ્રકારની જીવાતો માટે ઇમીડાકલોપ્રીડ ૧૭ઈ૮ એસેલ ૪ મિલી, એસીડામીપ્રીડ – ૨૦ એસપીલ ૨ એમએલલ એસીફેટ ૭૫ એસએલ ૨૦ મિલી માંથી કોઈ એક દવા ૧૦ લીટર પાણીમાં નાખીને છંટકાવ કરવોઈ. રાઈની માખીના નિયંત્રણ માટે કવીનાલાફોસ ૨૫ ઇસી ૨૦ મીલી અથવા મોનોક્રોટોફોસ મિલીનો ૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો.
લસણઃ વાવતેર માટે ગુજરાત લસણ ૧,૨, ૩, ૪ અને ૫ જાતો પૈકી એક જાતનું ઓક્ટોમ્બર અથવા નવેમ્બર માસમાં વાવતેર કરવું.
જીરૂ: જીરૂનું વાવેતર નવેમ્બરના પ્રથમ પખવાડિયામાં જયારે ઠંડીની શરૂઆત થાય અને દિવસનું ઉષ્ણતામાન ૩૦૦ થી ૩ર૦ સેન્ટીગ્રેડની આસપાસ થાય ત્યારે કરવું જોઈએ. મેથી અને ધાણાની વાવણીનો યોગ્ય સમય નવેમ્બરના પ્રથમ અઠવાડિયાનો છે. જીરૂમાં થ્રીપ્સના નિયંત્રણ માટે બ્યુવેરીયા બસીયાના ૬૦ ગ્રામ ૧૦ લીટર જીવાત દેખાય ત્યારે બીજો ૧૦દિવસે છંટકાવ કરવો.
મસાલા પાકોમા બિયારણની પસંદગી:
• જનીનિક તેમજ ભૌતિક શુધ્ધતાવાળું, સારી સ્ફૂરણશક્તિ ધરાવતું અને શુધ્ધ બિયારણ એ વધુ અને નફાકારક ઉત્પાદનની ચાવી છે.
• દા.ત. જીરૂના બિયારણમાં જીરાળાનું બી હોય છે જેના છોડ જીરૂ જેવા જ થતા હોવાથી દુર કરવા મુશ્કેલ બને છે. જેથી જીરૂના ઉત્પાદનમાં આ બિયારણ ભળવાથી તેની ગુણવત્તા નબળી રહેવાથી ઓછો બજારભાવ મળે છે.
• તેથી મસાલાના પાકોના બિયારણો કૃષિ યુનિવર્સીટી અને માન્ય સરકારી સંસ્થાઓ પાસેથી જ ખરીદ કરવાનો આગ્રહ રાખવો.
• આવા બિયારણો ર-૩ વર્ષ બાદ ફેરબદલી કરી નવું બિયારણ વાપરવું.
• વરિયાળી અને મરચી જેવા પાકોમાં સારા શુધ્ધ છોડની પસંદગી ફૂલ બેસવાની શરૂઆત પહેલા ઝીણા મખમલના કાપડની થેલીઓ ચઢાવીને બિયારણની જનીનિક શુધ્ધતા જાળવવી જોઈએ.
• મસાલાના પાકોના બિયારણના દર દાણાના કદ અને વજન પ્રમાણે જુદા જુદા હોવાથી સંશોધનના આધારે યુનિવર્સીટીએ ભલામણ કરેલ બિયારણના દર મુજબ જ વાવણી કરવાથી ઉત્પાદન ખર્ચ વધતો નથી અને ઉત્પાદન પણ મહત્તમ મળી રહે છે.
• સુધારેલ નવીન જાતોનું સારું, જનીનિક શુધ્ધતા ધરાવતુ બીજ,
• પિયત વ્યવસ્થા, નિંદણ વ્યવસ્થા અને
• પાકસંરક્ષણ એ પાક ઉત્પાદન વધારવા માટેના મહત્વના પરિબળો છે.
• વધુ ઉત્પાદન આપતી બીજની સારી ગુણવત્તા ધરાવતી અને રોગ-જીવાત, પાણીની ખેંચ તથા ક્ષારો સામે પ્રતિકારકશકિત ધરાવતી જાતની પસંદગી એ વધુ નફાકારક ખેતીનું એક બિનખર્ચાળ પરિબળ છે.
• આથી જ જો ખેડૂતમિત્રો મસાલાના પાકોમાં માત્ર સુધારેલ નવીન જાતોનું વાવેતર કરો તો પણ પોતાની ખેતીમાં ૧પ થી ર૦ ટકા વધુ નફો મેળવી પોતાના આથર્કિ વિકાસમાં હરણફાળ ભરી શકો.
• ગુજરાતમાં ચોમાસુ ખેતી વરસાદ આધારિત છે. જયારે શિયાળુ ઋતુમાં ખેડૂતોએ પોતાની નિપુણતા બતાવીને પાણીનો કાર્યક્ષામ ઉપયોગ કરીને ખેતપેદાશ મેળવવાની હોય છે.
ચણા: બીજું પિયત ૧૫ થી ૨૦ દિવસે આપવું.
રોગ નિયંત્રણ – સુકારો
૧. પ્રતિકારક જાતો જી.જે.જી.-૩, જી.જી-પ અથવા જી.જે.જી.-૬ વાવો.
ર. બીજને વાવણી પહેલા ફુગનાશક દવાનો પટ આપવો
૩. દર વર્ષે એક જ જગ્યાએ ચણા ન વાવો.
૪. જમીનમાં સેન્દ્રીયખાતર, ખોળ ઉમેરો.
પ. બાજરી, જુવાર જેવા પાકોની ફેરબદલી.
શેરડી ઃ શેરડીના વાવેતર પહેલા જુની કામસ (પ્રેસમડ)મા ઉગાડેલ જૈવિક ઘટક ટ્રાઈકોડરમા હારજીયમ ૮ ટન પ્રતિ હેકટર જમીનમાં આપવાથી સુકારો અને રાતડાનો રોગ અટકાવવામા ઉપયોગી છે.
જૈવિક ખાતર એજોટોબેકટર કલ્ચર ર કિગ્રા. પ્રતિ હેકટર ( રોપાણી બાદ ૩૦ અને ૬૦ દિવસે) કલ્ચરને ૧૦૦ કિગ્રા. છાણીયુ ખાતરસાથે ભેળવી થોડા પાણીનો છંટકાવ કરી એક રાત રાખ્યા બાદ આપવુ. શેરડીનાં રોપણી ઓકટોબરથી ડીસેમ્બર દરમિયાન કરવામા આવે ત્યારે શેરડીની બે હાર વચ્ચે લસણ, ડુંગળી અથવા ઘઉંની બે અથવા ત્રણ હાર વચ્ચે વાવેતર કરવાની ભલામણ છે.
ટમેટા: ભૂકી છરાના નિયંત્રણ માટે પાકમાં રોગની શરૂઆત થાય એટલે દ્રાવ્ય ગંધક ૮૦ વાળો ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવોઈ ડુંગળી રવિ ઋતુ માટે ડુંગળીની લાલ જાત જીજેંઆરઓઢ૧૧
મરચી: • મરચીના ધરૂવાડીયાના કોહવારાના નિયંત્રણ માટે ૧.રપ૦ કિલો ટ્રાયકોડર્મા,૩૦૦ લિટર પાણીમાં મિશ્ર કરી જમીનમાં છોડ ફરતે રેડીને આપવું.
• સ્યુડોમોનાસ ફલુરોસનસ (બેકટેરીયા), ૬ ગ્રામ/કિલો બીજને માવજત આપવાથી ધરૂવાડીયામાં કોહવારાનું પ્રમાણ ઘટે છે. અમુક પાકમાં પોચા સડાનું પ્રમાણ પણ ઘટાડે છે. તેમજ પાકનો ઉગાવો વધુ મળે છે.
પશુપાલનઃ સારી ઓલાદના આખલા ગીર માટે પશુ ઉછેર કેન્દ્ર, જૂનાગઢ
કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢ તેમજ કાંકરેજ માટે પશુ સવર્ધન કેન્દ્ર, સરદાર કૃષિ નગર દાંતીવાડાનો સંપર્ક કરવો.
ખોળનો વપરાશઃ દિવેલા, મગફળી, તલ, કપાસિયા,કરંજનો ખોળ, લીંબોળી તેમજ નાળિયેર વિગેરેના ખોળનો જમીનમાં પોષક તત્વો ઉમેરવા માટે સેન્દ્રીય ખાતર તરીકે વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરી શકાય. ખોળમાં પોષક તત્વોનું પ્રમાણ સામાન્ય સેન્દ્રીય ખાતરો કરતાં પાંચથી દસ ગણું વધારે હોવાથી ખાતર તરીકે ખેત ઉત્પાદન વધારવા અસરકારક રીતે વાપરી શકાય છે.