રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ અને વિપક્ષના નેતાઓ ભારતમાં વોટ ચોરીને લઈને ચૂંટણી પંચ અને ભાજપ આરોપ લગાવી રહ્યા છે. આ વચ્ચે ઉત્તરપ્રદેશથી મોટો કાંડ સામે આવ્યો છે. આવતા વર્ષે રાજ્યમાં યોજાનારી પંચાયત ચૂંટણીઓ પહેલા મોટા પ્રમાણમાં નકલી મતદારો જાવા મળ્યા છે.
ઉત્તર પ્રદેશ ચૂંટણી પંચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી યુપીની મતદાર યાદીનો સર્વે કર્યો છે. આ સર્વેમાં, એવા ૧.૨૫ કરોડ મતદારો મળ્યા છે
આભાર – નિહારીકા રવિયા જેઓ ગ્રામ પંચાયતની સાથે નગર નિગમની મતદાર યાદીમાં પણ જાવા મળી રહ્યા છે. એટલે કે, બે જગ્યાએ એક વ્યક્તિ મતદાર બન્યો છે.આ કિસ્સામાં, પંચાયતી રાજ મંત્રી ઓમ પ્રકાશ રાજભરે માહિતી આપતા કહ્યું કે, રાજ્યભરમાં ૧.૨૫ કરોડ નકલી મતદારોનો મામલો પ્રકાશમાં આવ્યો છે. જેને લઈને, ચૂંટણી પંચે તમામ જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટને આ સર્વે રિપોર્ટની બીએલઓ દ્વારા તપાસ કરાવવા જણાવ્યું છે. બે જગ્યાએ નામ સામે આવ્યા હોય તેવા મતદારોની તપાસ બીએલઓ કરશે અને સરકારને રિપોર્ટ સુપરત કરશે. આ રિપોર્ટના આધારે, જા આ છેતરપિંડીની પુષ્ટિ થશે, તો એક જગ્યાએથી મતદારનું નામ કાઢી નાખવામાં આવશે.
ઓમ પ્રકાશ રાજભરે આ છેતરપિંડીના ખેલ માટે નેતાઓની મિલીભગતને જવાબદાર ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, સ્થાનિક સ્તરે ચૂંટણી જીતવા માટે, નેતાઓ બીએલઓને મળીને આસપાસના વિસ્તારોના તેમના લોકોના નામ તેમના વિસ્તારની મતદાર યાદીમાં ઉમેરે છે.
રાજ્ય ચૂંટણી કમિશનર રાજ પ્રતાપ સિંહે પંચના કાર્યાલયના ભૂમિપૂજન બાદ માહિતી આપી હતી કે, પંચાયત ચૂંટણીમાં ફેશિયલ રેકગ્રિશન સિસ્ટમ અને એઆઇનો ઉપયોગ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, સંવેદનશીલ બૂથ પર એઆઇ આધારિત ફેશિયલ રેકગ્રિશન સિસ્ટમથી નકલી મતદારોની ઓળખ કરવામાં આવશે. જા ક્યાંયથી નકલી નામોની ફરિયાદ મળશે, તો તેની પણ તપાસ કરવામાં આવશે. હવે દરેક બીએલઓ (બ્લોક લેવલ ઓફિસર) ઘરે ઘરે જઈને મતદારોની ચકાસણી પ્રક્રિયા કરશે. આ અંતર્ગત, દરેક મતદારનું નામ, સરનામું અને ઓળખ સુનિશ્ચિત કરવામાં આવશે. જા કોઈ ઘરમાં ફરિયાદ કે શંકા જાવા મળે છે, તો તેના આધારે વધારાની તપાસ કરવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયાને સંપૂર્ણપણે ન્યાયી બનાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
નિષ્ણાતો કહે છે કે, ચૂંટણી પહેલા મતદાર યાદીની ચોકસાઈ સુનિશ્ચિત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જા નકલી કે ડુપ્લીકેટ નામ યાદીમાં રહે છે, તો તે ચૂંટણી પરિણામોને અસર કરી શકે છે અને લોકોનો વિશ્વાસ ઘટાડી શકે છે. છૈં-આધારિત ચકાસણી ટેકનોલોજીનો ઉપયોગ આને રોકવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. મતદાર યાદીમાં જાવા મળતી અનિયમિતતાઓએ સ્પષ્ટ કર્યું છે કે, ચૂંટણી પ્રક્રિયામાં તકનીકી અને વહીવટી સુધારા જરૂરી છે.એઆઇ-આધારિત ટેકનોલોજીનો ઉપયોગ આ દિશામાં એક નવું ઉદાહરણ રજૂ કરે છે. આ ઉપરાંત, ઘરે-ઘરે જઈને ચકાસણી પ્રક્રિયા સુનિશ્ચિત કરશે કે ફક્ત સાચા અને લાયક મતદારો જ મતદાન કરે. ચકાસણી અને દેખરેખ પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ અંતિમ મતદાર યાદી પ્રકાશિત કરવામાં આવશે. આનાથી ચૂંટણીમાં પારદર્શિતા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત થશે. કમિશન કહે છે કે, જનતાનો વિશ્વાસ જાળવવો એ લોકશાહીની તાકાત છે અને તેને જાળવી રાખવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. આ રીતે, ઉત્તર પ્રદેશમાં પંચાયત ચૂંટણીઓ પહેલાં મતદાર યાદીમાં રહેલી વિસંગતતા દૂર કરવા માટે આધુનિક ટેકનોલોજી અને પરંપરાગત ચકાસણીનો મિશ્ર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આનાથી ખાતરી થશે કે ચૂંટણીઓ ન્યાયી, પારદર્શક અને આત્મવિશ્વાસપૂર્ણ રીતે યોજાશે.